________________
' છે. કંટાળો અને ગમગીની ક્યાંય દૂર ભાગી ગયા છે. આનંદ.. આનંદ... અને આંતરિક અધ્યાત્મિક આનંદની દિવ્ય લહરીઓ વહી રહી છે.
પણ આ ધરતીનું એ પહેલું અને છેલ્લે જ ભાગ્ય હતું. કોઈ તીર્થપતિએ એક પ્રહરથી વધુ દેશના કદી દીધી નથી. પ્રભુ મહાવીરે જ પહેલી અને છેલ્લીવાર ૪૮ કલાકની અવિરત દેશનાધારા વહાવી.
અને એ જ સમવસરણમાં.. એ જ મધ્યમ પાવાપુરીમાં... એ જ બિહાર દેશમાં દેશના પૂર્ણ કરી કાલના ધર્મને અંગીકાર કરી ગયા. નિર્વાણ પામી ગયા...
૧૨ વર્ષની ઘોર સાધનાના અંતે પ્રગટેલો એ દિવ્યદીપ ૩૦ વર્ષ આ પાર્થિવ વિશ્વમાં પ્રકાશ ફેલાવી નિર્વાણ પામ્યો.
આજથી બરાબર ૨૫૧૦ વર્ષ પહેલાં એ દીપ નિર્વાણ પામ્યો, બુઝાઈ ગયો. પણ એ દિવ્યદીપ હતો. માનવજગત વિચાર મગ્ન બન્યું. દિવ્ય દુનિયામાં પણ વ્યગ્રતા આવી ગઈ. પ્રાણી જગત સ્તબ્ધ બની ગયું. આ દિવ્યદીપના નિર્વાણ ટાણે શું કરવું?
કોણ સમજ આપે? આખરે મનોમંથને મંગળ માર્ગ મળ્યો, દિવ્યદીપ સમા પ્રભુ નિર્વાણ પામ્યા છે.. સદા શાશ્વત કાળ માટે મુક્ત થયા છે...
-
શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ
-3
૨૭૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org