Book Title: Jain Patra Sahitya Part 02
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 422
________________ ક્ષય કરવા સદા જાગ્રત રહેશો. કર્મના ઉદયને સમતાભાવથી - ભોગવતાં પૂર્વભવોનાં કેટલાંક અશુભ કર્મોનો ક્ષય થાય છે અને નવા શુભનો સંચય થાય છે માટે જરાય આર્તધ્યાન ન થઈ જાય તેની સંપૂર્ણ કાળજી સમભાવે સહન કરવા કાળજી રાખશો. શ્રી નવકાર મંત્રનું જ સ્મરણ રાખશો. તમે લઘુવયમાં સંયમ ગ્રહણ કર્યું છે. સુંદર આરાધના કરતાં અશુભનો ઉદય આવ્યો તો એ અશુભકાળને પણ માનસિક સુંદર વિચારણા દ્વારા કર્મક્ષયનું કારણ બનાવશો. એ જ. દ. જયાશ્રીની અનુવંદના. (પા. નં. ૭૦) અભ્યાસ વિનયાદિ ગુણોપેતા યોગ અનુવંદનાપૂર્વક જણાવવાનું કે તારા અભ્યાસના સમાચારથી આનંદ-સંયમ જીવનમાં ગુર્વાજ્ઞામાં રહી જ્ઞાન, ધ્યાન, સમિતિ-ગુપ્તિનું સુંદર પાલન અને એને માટે જ ખાસ અભ્યાસ એમાં જ સંયમી આત્માને હંમેશા સ્વાર કલ્યાણ માટે મસ્ત રહેવું જોઈએ. વડીલ ગુર્નાદિની ખોટ સાલે પરંતુ ગુર્વાજ્ઞાના પાલનમાં સદા સજ્જ આત્માને તેમાં પણ ખૂબ જ આનંદ મગ્નતા હોય જ – માટે વડીલો જે હોય તેમની શક્તિ અનુસાર સેવા ભક્તિમાં રહી અભ્યાસાદિમાં ખૂબ જ લક્ષ્ય રાખશો. અભ્યાસમાં વિઘ્ન આવે છતાં જે ટાઈમ મળે તેમાં ખંત રાખી અભ્યાસ કરવા ચુકશો નહિ. એ જ. જયાશ્રીની અનુવંદના (પા. નં. ૬૩) - શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. (૪૦૯ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444