Book Title: Jain Patra Sahitya Part 02
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 434
________________ સહનશીલતા કેળવવી જોઈએ. એ સહનશીલતા લાવવા સારું છે, અરિહંતના જાપનું બળ જોઈએ. મનમાં એનું રટણ ચાલ્યા કરે. બસ આ એક અરિહંત સિવાય કશું જ યાદ આવવું જોઈએ નહિ. આપણી રક્ષા કરનાર, ભવોભવમાં સાથ દેનાર, દુઃખમાં દળનાર અને સુખને આપનાર અરિહંત પદનો જાપ ચાલુ રાખવો, બીજી કશી જ ચિંતા કરશો નહિ. એ જ. પં. વિક્રમવિજય દેહની નહિ આત્માની મમતા પરમ આરાધ્યપાદ પરમપૂજ્ય પરમગુરૂ દેવતા તરફથી પ. વિક્રમવિજય, વિનયાદિ ગુણ ગણ વિભૂષિતા વયોવૃદ્ધા સાધ્વીજી મંગળાશ્રીજી તથા પરમવિદુષી સાધ્વી શ્રી જયાશ્રીજી તથા વસંતશ્રીજી તથા વિશ્વપ્રભાશ્રીજી યોગ્યાનુંવંદન. સુખશાતા પૂર્વક જણાવવાનું કે તમારા તમામ પત્રો મળ્યા છે. જવાબ આપવામાં મેં ઘણી ઢીલ કરી છે અને તમારા આત્મામાં સમાધિ ઉજાવવી જોઈએ અને તેના પ્રેરક વચનો લખવા જોઈએ. આનું મને ઘણો ખેદ છે. વાંચવામાં એટલા તલ્લીન બની જવાય છે કે આખી દુનિયાને ભૂલી જવાય છે. હશે આ તો જો મારી કથની કહી. - તમો આત્માને ઓળખનારા છો. એના ગુણોને કેળવવા મેળવવા અને ખીલવવા પ્રતિદિન તત્પર છો. ખરેખર! તમારા જેવા આરાધક આત્માને તો આત્મા સિવાયની કોઈની ચિંતા કરવાની હોય જ નહિ. આત્માનો જાણ્યા પછી આત્માની ચિંતા ન થાય તો ક શ્રી જૈન છે. મૂ. સંઘ, દાહોદ. શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. ન ક ૪૨૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444