Book Title: Jain Patra Sahitya Part 02
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 440
________________ કે આત્માઓને પણ પરલોકયાયી થવું પડે છે. તો આપણા જેવાની શી જ વાત? માટે ખૂબ ચારિત્ર પાલનમાં ઉજમાળ બનવું, આર્તધ્યાન જરા પણ કરશો નહિં. એમના ગુણોની અનુમોદના કરજો અને એવા ગુણો કેળવવા નિશક્તિ પ્રયત્નશીલ રહેજો. પત્રમાં પાઠવેલા ટૂંક પણ અમીઝરણાં તમારા આ આત્માને શાંતિ અર્પશે એમ માનું છું કારણ કે તમારા વિશાળ અનુભવમાં તેલ જેમ વિસ્તરશે તેમ અવશ્ય તે વિસ્તરશે. આત્મા અખૂટ જ્ઞાનનો ખજાનો છે અને એનો અનુભવ મજાનો છે, વિષય વાત કથાનો છે અત્યારનો આ અપૂર્વ સમય તેનાથી રજા લેવાનો છે. એક એક ક્ષણની કોટીએ પણ કિંમત ન થઈ શકે એવા અવસરમાં પ્રસાદ પરમશત્રુ ન બને તેનો ખ્યાલ રાખવાનો છે. હારજીતનો સવાલ ઘણો કપરો છે પરંતુ સાવધાનીથી નિરિક્ષણ કરી વિરતી કલક શીલ કવચ અને જ્ઞાન તરવારથી સજ્જ થઈ જાઓ અને બને ત્યાં સુધી અપ્રમત બની કર્મને હાર ખવડાવવા તૈયાર રહો તો શિવમાર્ગમાં વહો તો આત્મિક આનંદને પ્રતિપળો કહો તો પરિસહોને સમ્યક પ્રકારે સહો તો મુક્તિ દૂર નથી, યુક્તિ પરંપરામાં નાહકમાં વધારી શકાયને વિશેષ વાંચનમાં વ્યર્થ નહિ. ખો - તો માત્ર આટલી જ પંક્તિઓને હૃદયના યત્રથી તારની જેમ આંખ પણ ન માંડી શકે અને નિર્ભય સ્વારાજ્ય પ્રાપ્ત થાય. શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. (૪૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444