________________
એ જ સૌને ધર્મલાભ કહેશો.
લિ.
અમરેન્દ્રવિજયજી તરફથી ધર્મલાભ.
વલસાડ. તા. ૨૪-૮-૮૮
શ્રેયાર્થી સુશ્રાવક શ્રી યોગ, લિ. અમરેન્દ્રવિજયજી તરફથી ધર્મલાભ.
તીથલ - શાંતિનિકેતનના સરનામે લખેલ તમારો પત્ર મળ્યો. એ પત્ર મૂળ તો બે વર્ષ પૂર્વે લખાયેલો છે. તે દરમ્યાન તમે વિપશ્યના શિબિરમાં ભલે ન ગયો હો પણ જો ઘેર સાધના ચાલુ રાખી હશે તો તમારા કેટલાક પ્રશ્નોનું સમાધાન થઈ ગયું હશે જ.
તમે લખો છો કે પ્રથમ શિબિર પછીનો તમારો અનુભવ એ રહ્યો કે વિપશ્યનામાં - ૧. ઉત્તમ પ્રકારની સામાયિક થાય છે. ૨. જ્ઞાતા-દૃષ્ટા કેમ રહેવું તેની પદ્ધતિ આ શિબિરમાં મળી જાય છે. આટલું જે સાધના પદ્ધતિથી થતું હોય તે સાધના શ્રી જિનેશ્વરદેવ સમ્મત છે એ સ્પષ્ટ જ છે - આની ચર્ચા વિચારણા મારા પુસ્તક આત્મજ્ઞાન અને સાધનાપથ' માં ૭મા પ્રકરણમાં વિસ્તારથી થયેલી છે. જુઓ પૃષ્ઠ ૧૭૪ થી ૧૭૯, ત્રીજી આવૃત્તિ, આ પાનાં ફરીથી વાંચી એના પર મનન કરશો તો તમારા પ્રશ્નોનું સમાધાન તમને મળી રહેશે. મોક્ષની છેડાછેડી સમતા સાથે છે. પૂર્ણ સમતા એ જ વીતરાગતા.
સમતા વિપશ્યનાથી સધાય છે એ તો તમારો અનુભવ છે. સમતામાં - ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે તો વીતરાગતા સુધી પહોંચી જવાય એ જ
મ્પક
શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર,
શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર,
(૩૧૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org