________________
ભિક્ષા ભમે ચોરી કરે, ૩. ધૂતી હરે પરવિત્ત, હો.ગુ. ઘર કરી રાખી ભીલડી, . તસ ઘર ભરતો નિત્ય. હો.ગુ. રિપો ગુરુ લોપી મા પાપીયો, સ પંડિત એમ ઉચ્ચરાય, હો.ગુ. તુમ વયને મેં ઔષધિ, સ. દીધી પણ ન ફળાય. હો.ગુ. //છો. ચોથે ખંડે ઢાળ એ, ર. ચોથી ચતુરને શીખ, હો.ગુ. શુભગુરુ વચનથી વેગળા, . ઘર ઘર માગે ભીખ. હો...ગુ. રશી
૧- કરોડ, ર - હાથી, ૩- કુહાડા જેવા દાંત, ૪ - અગ્નિ સરીખાનેત્ર, ૫ - ફોગટ.
-: ઢાળ-૪ :
ભાવાર્થ
- કુમારના સાનિધ્યે યોગીરાજ જાપમાં લાગી ગયા છે. વદ આઠમની રાત્રિએ મંત્ર જાપ ચાલુ કર્યા. જ્યારે કુમાર હાથમાં ખુલ્લી તલવાર થકી યોગીરાજને ફરતાં પ્રદક્ષિણા દેતાં તાપસનું રક્ષણ કરે છે. તે ટાણે આકાશવાણી થઈ. “ગુરુલોપી જે માણસ હોય તે કાળી સાધના કરે છે તેના મનોવાંછિત કયારે પૂરાં થતાં નથી. આ પ્રમાણે આકાશમાં ભયંકર અટ્ટહાસ્ય સહિત વારંવાર ઉદ્યોષણા થવા લાગી. વારંવાર એકની એક વાત આકાશવાણીથી સાંભળવા મળી. “ઉત્તર સાધકનું ભક્ષણ, નહિ તો સાધકનું ભક્ષણ કરીશ.”
આ સાંભળી કુમારે જવાબ આપ્યો કે પથ્થરનું ભક્ષણ કરો. રસ્તામાં લાખો પથરા પડ્યાં છે. ભૂખ્યો હોય તો પથ્થરોથી પેટ ભરી લે. વળી સાંભળ્યું છે ખરું “મૃગલો સિંહનું ભક્ષણ કરે” સાંભળો. મારી ઉપર બત્રીસ લાખ વિમાનનો માલિક દેવલોકનો ઈન્દ્ર પણ મારી સામે આવે તેમ નથી. તો તું કિય માત્ર? તારી જીવવાની આશા શી રહી?
કુમારના સિંહનાદવનું અવાજયુક્ત જવાબ સાંભળવા છતાં વળી. આકાશવાણી થઈ રે! બીજાના કલ્યાણને માટે જે પોતે મરવા તૈયાર થાય તે મૂરખ કહેવાય. વળી કયારેય કોઈએ દેવને જીત્યા તે સાંભળ્યું છે? માટે કહું છું કે આ દુર્જનને છોડી દૂર ચાલ્યો જા. “અપરાધ વિના માર કોણ ખાય?” તે સાંભળી કુમાર બોલ્યો - રે! સાંભળો ! અદશ્ય રહી શું બકી રહ્યાં છો? ફોગટ બળી જાય છે. બળવાન હોય તો મારી સામે આવ. મારા વીરપણાને જો.”
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૫