________________
નવતરવ–દીપિકા
-
-
કરણ શબ્દથી સ્વયેગ્ય પયોપિઓ અભિપ્રેત છે. તાત્પર્ય કે જીવ નવા જન્મસ્થાને આવીને તરત જ સ્વયેગ્ય પર્યાપ્તિઓને પ્રારંભ કરે છે, તે જ્યાં સુધી એ પર્યાપ્તિઓને પૂર્ણ કરી રહે છે, છે ત્યાં સુધી કરણ--અપર્યાપ્તની કેટિને ગણુય છે.
આવા કરણ અપર્યાપ્તપણને કાલ પૂર્વભવમાંથી છૂટે, તે સમયથી માંડી સર્વ પર્યાયિઓ પૂર્ણ ન કરે ત્યાં સુધી અંતમુહૂર્ત પ્રમાણું હોય છે. આ જીવ અંતરાલ ગતિમાં પણ કરણુ-અપર્યાપ્ત જ કહેવાય છે.
(૪) કરણુ-પર્યાપ્ત
જે જીવે સ્વય સર્વ પતિઓને પૂરી કરી લીધી હાય, તે કરણુ-પર્યાપ્ત કહેવાય છે.
આવા કિરણ-પર્યાપ્તપણને કાલ સ્વઆયુષ્યના પ્રમાણથી જૂન અંતમુહૂર્ત પ્રમાણ હોય છે. આ જીવ અંતરાલ ગતિમાં પણ કરણપર્યાપ્ત જ કહેવાય છે.
અહીં એટલું ખ્યાલમાં રાખવાની જરૂર છે કે લબ્ધિઅપર્યાપ્ત તથા લબ્ધિ-પર્યાપ્ત એ બંને અને કરણઅપર્યાપ્તપણું હોય છે. તેમાંથી લબ્ધિ-અપર્યાપ્ત જીવને કરણ-પર્યાપ્તપણું પ્રાપ્ત થતું જ નથી, જ્યારે લબ્ધિ-પર્યાપ્ત જીવને પથપ્તિએ પૂરી કર્યા પછી કરણ પર્યાપ્તપણું પ્રાપ્ત થાય છે.