Book Title: Navtattva Dipika
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 329
________________ સંવરતત્વ ૨૫. ત્તિ-ત્રણ. તુવીસ-બાવીશ. વ-દશ. વાર-બાર. વંજ-પાંચ. હિં–ભેદો વડે. સવિન–સત્તાવન. (૫) અર્થ-સંકલનાઃ ' સંવરતત્વ સમિતિ, ગુપ્તિ, પરીષહજય, યતિધર્મ, ભાવના અને ચારિત્રના પાંચ, ત્રણ, બાવીશ, દશ, બાર અને પાંચ ભેદે વડે સત્તાવન પ્રકારનું છે. (૬) વિવેચન : * સંવરતત્વ સત્તાવન ભેદે જાણવા ગ્ય છે. આ સત્તાવન ભેદને નિર્દેશ પ્રસ્તુત ગાથામાં કરવામાં આવ્યા છે. તેમાં પ્રથમ સંવરતત્વનો મુખ્ય છ ભેદો કહી, પછી તેના ઉત્તરભેદ કહેવામાં આવ્યા છે. સમિતિ, ગુપ્તિ, પરીષહજય, યતિધર્મ, ભાવના અને ચારિત્ર એ સંવરતત્વના મુખ્ય ભેદ છે. તેમાં સમિતિ પાંચ પ્રકારની છે, ગુપ્તિ ત્રણ પ્રકારની છે, પરીષહજય બાવીશ પ્રકારને છે, યતિધર્મ દશ પ્રકાર છે, ભાવના બાર પ્રકારની છે અને ચારિત્ર પાંચ પ્રકારનું છે. આ રીતે સંવરતત્વના. કુલ સત્તાવન ભેદો થાય છે.

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334