Book Title: Navtattva Dipika
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 312
________________ - ~ ૨૩૪ નવ-તત્ત્વ-દીપિકા આત્માની અધોગતિ થાય છે. માર્ગોનુસરણમાં પણ ઈન્દ્રિચેના જય ઉપર ભાર મૂકાયે છે, તે ચારિત્રની ઉત્તર ભૂમિકાઓ અંગે તે કહેવું જ શું? ઇન્દ્રિયને જ કર્યા વિના મોક્ષમાર્ગની આરાધનામાં આગળ વધી શકાતું નથી. કષાયના કારણે કર્મનું જે આગમન થાય, તેને કપાયાશ્રય કહે છે. તેના ચાર પ્રકારે તે (૧) કોધાશ્રવ, (૨) માનાશ્રય, (૩) માયાશ્રવ, અને (૪) લેભાશ્રવ. મનની જે વૃત્તિઓ આત્માને કલુષિત કરે છે, તે કષાય કહેવાય છે. તે કઈ વાર કોધરૂપે પ્રકટ થાય છે, તે કઈ વાર માનરૂપે; કેઇવાર માયારૂપે પ્રગટ થાય છે, તે કઈ વાર લેભરૂપે. તેમાં કોધ અને માન શ્રેષનું પરિણામ છે અને માયા તથા લેભ રાગનું પરિણામ છે; એટલે તે કર્મના સમૂહને આત્મા ભણી ખેંચે છે. કષાયને આત્માના કટ્ટા શત્ર કહ્યા છે કારણકે તે ઘણું કર્મોને ખેંચી લાવે છે અને આત્માને રાશીના ચકકરમાં ભમાડે છે. - કષાય કેઈ પ્રશરત કારણે ઉત્પન્ન થયે હોય તે શુભાશ્રવનું કારણ બને છે, અન્યથા અશુભાશ્રવનું કારણ તે છે જ. - ' “કષાય પ્રશસ્ત કારણે કેવી રીતે થાય?’ એ પ્રશ્નનો - ઉત્તર એ છે કે કઈ વ્યક્તિ દેવ, ગુરુ કે ધર્મને ઈરાદાપૂર્વક ધ્વંસ કરતી હોય કે દુર્વિનીત શિષ્યને ઠેકાણે લાવ હોય તે ક્રોધ કરે પડે છે અથવા પિતાને પ્રાપ્ત થયેલા શ્રેષ્ઠ ધર્મ અંગે કંઈક અભિમાન પણ ધારણ કરવું પડે

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334