Book Title: Navtattva Dipika
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 316
________________ ૨૩૮ નવ-તત્ત્વ-દીપિકા આવી અગી બને છે. પછી કર્મોનું જીવ ભણી આકર્ષણ થતું નથી અને કર્મને બંધ પડતું નથી. પ્રવૃત્તિના ભેદથી ચાગના ત્રણ પ્રકારે પડે છે? (૧) કાયયેગ, (૨) વચનગ અને (૩) મનેગ. તાત્પર્ય કે આત્મા કાયા દ્વારા જે પ્રવૃત્તિ કરે છે, તે કાયમ કહેવાય છે, વચનદ્વારા જે પ્રવૃત્તિ કરે છે, તે વચનગ કહેવાય છે અને મનદ્વારા જે પ્રવૃત્તિ કરે છે તે મનેયેગ કહેવાય છે. આ ત્રણે પ્રકારના ચોગદ્વારા કર્મનું આગમન થાય છે, તેથી ગાશ્રવના ત્રણ પ્રકારે છે. મન, વચન, કાયાની પ્રવૃત્તિ પ્રશસ્ત ભાવથી થતી હોય તે શુભાશ્રવ થાય છે અને અપ્રશસ્ત ભાવથી થતી હેય તે અશુભાશ્રવ થાય છે. દાખલા તરીકે ચાલવું, એ કાયગ છે, તેથી આશ્રવ તે થવાને જ; પરંતુ એ ચાલવાની ક્રિયા દેવગુરુના દર્શન માટે થતી હોય કે કેઈ જીવની રક્ષા માટે થતી હેય યા તીર્થગમનાદિ નિમિત્તે થતી હોય તે શુભાશ્રવ થાય છે, કારણ કે તે પ્રશસ્ત ભાવથી થાય છે. પરંતુ તે કિયા અર્થ કે કામની પ્રવૃત્તિ માટે થતી હોય કે કઈ સાથે લડવા-ઝઘડવા માટે થતી હોય કે નાટક-સીનેમા આદિ જેવા માટે થતી હોય તે અશુભાશ્રવ થાય છે, કારણ કે તે અપ્રશસ્ત ભાવથી થાય છે. (૧) ઉપમા એકવીસમી ગાથામાં “શિથિગો પછી એ શબ્દો વડે પચીશ કિયાઓનું સૂચન કરવામાં આવ્યું છે

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334