Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
અસ્સોઈ(અશ્વયુજી) આશ્વિન માસનો પૂર્ણિમાનો તેમ જ પડવોનો દિવસ.૧
૧. જમ્મૂ. ૧૬૧, સૂર્ય,૩૯,
અહરદત્ત (અર્હદત્ત) વંતરીએ સાથળ ફાડી ખાવાના કારણે થયેલ આત્મવિરાધનાના દૃષ્ટાંત તરીકે જેમનું નામ ઉલ્લેખાયું છે તે સાધુ. ટીકાકાર તેમનો ઉલ્લેખ અર્હન્નક નામે કરે છે.૨
૧
૧. આચાચૂ.પૃ.૧૮૧.
૨. આચાશી.પૃ.૨૧૪.
અહત્વણ (અથર્વન્) ચાર વેદોમાંનો એક વેદ (અથર્વવેદ).૧
૧. ભગ.૯૦, શાતા.૫૫,ઔપ.૩૮.
અહિગરણી (અધિકરણી) વિયાહપત્તિના સોળમા શતકનો પહેલો ઉદ્દેશક.
૧. ભગ.૫૬૧.
અહિચ્છત્તા (અહિચ્છત્રા) જંગલ દેશની રાજધાની. તે ચંપાની ઉત્તર-પૂર્વમાં આવેલી હતી. કણગકેઉ(૧) રાજા ત્યાં રાજ કરતો હતો. ચંપાના ધણ(૮) વેપારીએ તેની મુલાકાત લીધી હતી. જિણદેવ(૩) અહિચ્છત્તા જતા હતા ત્યારે માર્ગમાં પુલિંદોએ તેમને લૂંટી લીધા હતા.પ ચક્કટ્ટ બંભદત્તે(૧) પણ તેની મુલાકાત લીધી હતી. ધરણિદે તિત્શયર પાસ(૧)ની અહીં પૂજા કરી હતી. વર્તમાનમાં બરેલી જિલ્લામાં આવેલ રામનગર સાથે તેની એકતા સ્થાપવામાં આવી છે.
૮
૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩.
૨. જ્ઞાતા. ૧૦૫.
૩. એજન.
૪. એજન.
૫. આનિ.૧૩૧૪,આવચૂ.૨.
પૃ.૨૧૧, આવહ.પૃ.૭૨૩.
અહિછત્તા (અહિચ્છત્રા) જુઓ અહિચ્છત્તા.૧
૮૭
૬. ઉત્તરાનિ.પૃ.૩૭૯. ૭. આચાશી.પૃ.૪૧૮.
૮. સ્ટજિઓ.પૃ.૯૨, જિઓડિ.પૃ.૨, ણાયાધમ્મકહાઓ તેને ચંપાની ઉત્તર-પૂર્વે આવેલું જણાવે છે.
૧. પ્રજ્ઞા.૩૭, આનિ.૧૩૧૪, આવચૂ.૨.પૃ.૨૧૧.
અહિલ્લિયા (અહિશિકા) એક સ્ત્રી જેના માટે યુદ્ધ ખેલાયું હતું. આથી વિશેષ માહિતી તેના અંગે નથી.૧ ટીકાકારો તેનો ઉલ્લેખ અહિન્નિકા નામે કરે છે.
૧. પ્રશ્ન.૧૬.
Jain Education International
૨. પ્રશ્નઅ.પૃ.૮૭, પ્રશ્નજ્ઞા.પૃ.૮૯. અહિવઇ (અધિપતિ) વિયાહપત્તિના ત્રીજા શતકનો આઠમો ઉદ્દેશક.
૧
૧. ભગ.૧૨૬.
અહિવદ્ઘિ (અભિવૃદ્ધિ) ઉત્તરાભદ્દવયા નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ. આ અને વિવિદુિ
૧
તથા વુદ્ઘિ એક જ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org