Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 478
________________ ૪૫૧ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧.આવનિ.૧૨૮૧. ૩. આવનિ.૧૩૦૬, આવયૂ.ર.પૃ. ૨૦૪. ૨.આવયૂ. ૨.પૃ.૧૮૯. ૪. આવયૂ.૨.પૃ.૧૯૦. ૩. ધમ્મઘોસ ચંપા નગરના રાજા મિત્તUભના મન્ચી. તેણે ધણમિત્ત(૧)ના સ્વરૂપવાન પુત્ર સુજાત(૨)ને મારી નાખવાની યોજના કરી હતી કારણ કે તેને ગેરસમજ થઈ હતી કે સુજાતે તેના અન્તઃપુરની પવિત્રતાને નષ્ટ કરી છે. જ્યારે સત્ય પ્રગટ થયું ત્યારે રાજાએ ધમ્મઘોસને દેશનિકાલ કર્યા. પછી ધમ્મઘોસ રાયિગહ ગયા, પોતાનાં કૃત્યો માટે પશ્ચાત્તાપ કર્યો અને શ્રમણત્વ સ્વીકાર્યું. ત્યાંથી તે વારાપુર ગયા અને વારત્ત(૩) મંત્રીને શ્રમણત્વની દીક્ષા આપી. ૧. આવનિ.૧૨૯૭, આવચૂ.૨,પૃ.૧૯૭-૯૯, પિંડેનિમ.પૃ.૧૬૯. ૪. ધમ્મઘોસ ધણવસુ સાર્થવાહના કાફલા સાથે ઉજેણીથી ચંપા જનારા શ્રમણ. જ્યારે લુટારાઓએ આ કાફલા ઉપર હુમલો કર્યો ત્યારે કાફલો ગભરાઈ ગયો અને વિખરાઈ ગયો. કાફલાના કેટલાક સભ્યો સાથે શ્રમણ જંગલમાં પ્રવેશ્યા. ત્યાં તેમને શ્રમણને યોગ્ય એવી ભિક્ષા મળી શકી નહિ. એટલે તેમણે ખોરાક લેવાનું છોડી દીધું અને એક શિલા ઉપર સલ્લેખના કરી. કાલક્રમે તે મુક્તિ પામ્યા.' ૧. આવનિ.૧૨૭૬, આવચૂ.૨,પૃ.૧૫૪-૧૫૫. ૫. ધમ્મઘોસ તિર્થીયર વિમલ(૧)ના પ્રશિષ્ય. તેમણે હત્થિણાપુરમાં મહબ્બલ(૧)ને દીક્ષા લઈ શ્રમણસંઘમાં દાખલ કર્યા. ૧. ભગ.૪૩૧, ૫૫૯. ૬. ધમ્મઘોર વિહાર કરતા જેમણે રાયગિહના ગુણસિલઅચૈત્યમાં ધષ્ણ(૧૦) શેઠને દીક્ષા આપી હતી તે સ્થવિર.' ૧. જ્ઞાતા.૪૨. ૭. ધમ્મઘોસ જેમના શિષ્ય ધમ્મરુઇ(૪) હતા તે આચાર્ય.' ૧. જ્ઞાતા.૧૦૭. ૮. ધમ્મઘોસ પોતાના શિષ્ય સુદત્ત તથા અન્ય સાથે હOિણાઉરની મુલાકાત લેનાર વિર. ૧. વિપા.૩૩. ૯. ધમ્મઘોસ મહાઘોસ(૩) નગરના શેઠ. ધમ્મસીહ(૧) શ્રમણને ભિક્ષા આપવાના કારણે તે મૃત્યુ પછી રાજકુમાર ભણંદી(૪) તરીકે જન્મ્યા.' ૧. વિપા.૩૪. ૧૦. ધમ્મઘોસ એક આચાર્ય. રાજા જિયસતુ(૩૮) તેમનો ઉપાસક હતો. આચાર્યને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492