Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૫૧
૩
૧. ગંધાર (ગન્ધાર) ગંધહાર નામથી પણ જાણીતું રાજ્ય' જ્યાં રાજા ણગંઇ રાજ કરતો હતો. તેની રાજધાની પુરિસપુર હતી. આ દેશનો એક શ્રાવક મહાવીરની ચંદનની મૂર્તિને વંદન કરવા વીતિભય ગયો હતો.૪ ગંધારની એકતા પેશાવર અને રાવળપિંડી જિલ્લાઓથી બનેલા વર્તમાન પ્રદેશ સાથે સ્થાપવામાં આવી છે.પ
૧.પ્રશ્ન.૪,પ્રશા.૩૭.
૨. ઉત્તરા.૧૮.૪૬, ઉત્તરાનિ.પૃ.૨૯૯,
આવયૂ.૨.પૃ.૨૦૮,આવભા.૨૦૮. ૩. ઉત્તરાયૂ.પૃ.૧૭૮, આવચૂ.૨.
૨. ગંધાર અવરવિદેહનો એક વિજય(૨૩). તેનું પાટનગર ગંધમિદ્ધ હતું. રાજા મહમ્બલ(૩) ત્યાં રાજ કરતો હતો.
૧. આવચૂ.૧.પૃ.૧૬૫, આવમ.પૃ.૧૫૮, આવહ.પૃ.૧૧૬.
૩. ગંધાર કાલિકેય જેવો જ દેશ.
૧
પૃ. ૨૦૮.
૪. આવચૂ.૧.પૃ.૩૯૯, ઉત્તરાનિ.પૃ.૯૬, નિશીયૂ.૩.પૃ.૧૪૪. ૫. જિઓડિ.પૃ.૬૦.
૧. આવચૂ.૧.પૃ.૧૬૨.
૧. ગંધારી (ગન્ધારી) (રિએસ) બલકોટ્ટની પત્ની અને મુનિ હરિએસબલની અપરમાં.૧
૧. ઉત્તરાયૂ.પૃ.૨૦૨.
૨. ગંધારી એક દેવી.
૧. આવ.પૃ.૧૮, ભા. ૨૫૦૮.
૩. ગંધારી અંતગડદસાના પાંચમા વર્ગનું ત્રીજું અધ્યયન.
૧. અન્ન.૯.
Jain Education International
૪. ગંધારી વાસુદેવ(૨) કણ્ડ(૧)ની આઠ પટરાણીઓમાંની એક. તે સંસારનો ત્યાગ કરી તિર્થંયર અરિઢણેમિ પાસે દીક્ષા લઈ શ્રમણી બની અને વીસ વર્ષ શ્રામણ્યની સાધના કરી મોક્ષ પામી.
૧. અન્ન.૧૦, સ્થા.૬૨૬, આવ.પૃ.૨૮,કલ્પવિ.પૃ.૨૧૩,
ગંધાવઇ (ગન્ધાપાતિન્) જંબુદ્દીવના રમ્મગ(૫) ક્ષેત્રમાં આવેલો વટ્ટ-વેયઝૂ પર્વત, તે ણારીકંતા નદીની પૂર્વમાં અને ણરકંતા નદીની પશ્ચિમમાં આવેલો છે. પઉમા(૧૬) તેનો અધિષ્ઠાતા દેવ છે. અન્ય સ્થાને જણાવાયું છે કે ગંધાવઇ હિરવાસ(૧)માં આવેલ છે અને અરુણ(૩) તેનો અધિષ્ઠાતા દેવ છે.
૧. જમ્મૂ.૧૧૧, જીવા.૧૪૧, ભગમ.પૃ.૪૩૬.
૨. સ્થા.૮૭,૯૨,૩૦૨, જીવામ.પૃ.૨૪૪.
૩. સ્થા.૮૭, ૩૦૨.
૧. ગંધિલ પશ્ચિમ મહાવિદેહના ઉત્તરમાં આવેલા આઠ પ્રદેશોમાંનો સાતમો.૧
૧
For Private & Personal Use Only
www.jainelibrary.org