Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૪૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. કલ્પ. પૂ. ૨૫૬. ૨. ઉવણંદ બંભણગામનો રહેવાસી. ણંદ(પ) તેનો ભાઈ હતો. ઉવણંદે ગોસાલને ભિક્ષામાં જે અન્ન આપ્યું તે ગોસાલને પસંદ ન પડ્યું. તેથી ગોસાલ ઉવણંદ ઉપર ક્રોધે ભરાયો અને તેણે તેને શાપ આપ્યો. પરિણામે ઉવણંદનું ઘર બળીને ભસ્મ થઈ ગયું.'
૧. આવચૂ.૧,પૃ.૨૮૩, વિશેષા.૧૯૩૦, કલ્પ.પૂ.૧૦૫. ઉવદંસણ (ઉપદર્શન) ણીલવંત(૧) પર્વતનું શિખર.'
૧. જબૂ.૧૧૦, સ્થા.પર૨, ૬૮૯. ઉવમા (ઉપમા) પહાવાગરણદાસાનું પ્રથમ અધ્યયન. તે નષ્ટ થઈ ગયું છે.
૧. સ્થા. ૭૫૫. ૧. ઉવયાલિ (ઉપજાલિ) અણુત્તરોવવાઈયદસાના પ્રથમ વર્ગનું ત્રીજું અધ્યયન.'
૧. અનુત્ત.૧. ૨. ઉવયાલિ અંતગડદાસાના ચોથા વર્ગનું ત્રીજું અધ્યયન.
૧. અત્ત.૮. ૩. ઉવયાલિ સેણિઅ(૧) રાજા અને તેમની રાણી ધારિણી (૧)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બની ગયો. સોળ વર્ષ સાધુજીવનની સાધના તેણે કરી. પછી મૃત્યુ પામી અણુત્તર વિમાનમાં દેવ તરીકે તેણે જન્મ લીધો. વધુ એક જન્મ લઈ તે મોક્ષે જશે.'
૧. અનુત્ત.૧. ૪. ઉવયાલિ રાજા વસુદેવ અને તેમની રાણી ધારિણી(૪)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી તિર્થીયર અરિફણેમિનો શિષ્ય બન્યો. તે સોળ વર્ષનું શ્રમણજીવન પૂરું કરી સેતુંજ પર્વત ઉપર મુક્તિ પામ્યો.'
૧. અનુત્ત. ૮. ઉવરિમઉવરિમગેવિન્જગ (ઉપરિમઉપરિમરૈવેયક) આ સ્વર્ગીય વાસસ્થાનમાં વસતા દેવોનું જઘન્ય આયુષ્ય ૩૦ સાગરોપમ વર્ષનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ સાગરોપમ વર્ષનું છે.' જુઓ ગેવિજગ.
૧. સમ.૩૦,૩૧. ઉવરિમઝિમગવિજ્જગ (ઉપરિમમધ્યમરૈવેયક) આ સ્વર્ગીય વાસસ્થાનમાં વસતા દેવોનું જઘન્ય આયુષ્ય ૨૯ સાગરોપમ વર્ષનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૦ સાગરોપમનું વર્ષનું છે. જુઓ ગેવિજ્જ.
૧ ૨૯, ૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org