________________
૧૨૨
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પપ इत्यादौ यतनांश एवोपदेशो न तु चरणाद्यंश इत्येकत्र वाक्ये कथं पदपदार्थयोजना? __ यदपि - ज्ञानाद्यर्थमपवादप्रतिसेवणेऽप्यनादिसिद्धकल्प्यत्वादिलक्षणवस्तुस्वरूपावबोधक एव जिनोपदेशः, प्रवृत्तिस्त्वौचित्यज्ञानेन स्वत एवेत्युक्तं - तदप्यगाधभ्रमसमुद्रमज्जनविजृम्भितं, जिनोपदेशात्कल्प्यत्वादिबोधे स्वत एव प्रवृत्तिवचनस्याविचारितरमणीयत्वात्, कल्प्यताबोधकस्योपदेशस्यैव प्रवृत्तिजनकेच्छाजनकज्ञानविषयेष्टसाधनतादिबोधकत्वेन प्रवर्तकत्वाद्, एतदेव हि सर्वत्र विधेः प्रवर्तकत्वमभ्युपयन्ति शास्त्रविदः, विधेः प्रवर्तकत्वादेव च कल्प्यतादिबोधकादर्थवादादपि विधिकल्पनमाद्रियते, इत्थं च-'पञ्चेन्द्रियववरोवणा वि कप्पियत्ति निशीथचूर्णावुक्तं, न पुनः ‘स हन्तव्यः'
નથી, કેમ કે તે અંશમાં પણ આજ્ઞા હોવી વ્યવહારથી અબાધિત છે એ ઉપર દેખાડી ગયા છીએ. વળી આ રીતે માત્ર જયણા-અજયણાના વિધાન-નિષેધ માનવામાં તો “નયે રે..' ઇત્યાદિ દશવૈકાલિકસૂત્રના વાક્યમાં જયણા અંશમાં જ ઉપદેશ માનવો પડશે, ચરણ (વિહારાદિરૂપ પ્રવૃત્તિ) અંશમાં નહિ, અને તો પછી એક વાક્યમાં પણ પદપદાર્થની ઘટના શી રીતે કરશો? અર્થાત્ “ગ” નો અર્થ તો જયણાપૂર્વક છે જ, હવે જો “રે માં જે વિધ્યપ્રયોગ છે તેનાથી પણ જયણાનું જ જો વિધાન હોય તો જયણાપૂર્વક જયણા કરવી' ઇત્યાદિ અર્થ નીકળે જે અસંગત રહે છે.
(આપવાદિક પ્રવૃત્તિને સ્વતઃ જ કહેવી એ મહાભાત્તિ) જ્ઞાનાદિની રક્ષા-વૃદ્ધિ માટે સેવાતા અપવાદ અંગે પણ જે જિનોપદેશ છે તે તો અનાદિસિદ્ધ એવું કધ્યત્વ વગેરે રૂપ વસ્તુસ્વરૂપને જ જણાવે છે, સાધુ વગેરેને પ્રવર્તાવતો નથી, સાધુ વગેરે તો તે ઉપદેશથી ઔચિત્ય જ્ઞાન પામે છે જેના દ્વારા પછી સ્વતઃ જ પ્રવૃત્તિ કરે છે' ઇત્યાદિ જે કહ્યું છે તે પણ અગાધ ભ્રમસમુદ્રમાં ડૂબવાના કારણે થયેલી જ ચેષ્ટા છે. કારણ કે જિનોપદેશથી જો કચ્છત્રાદિનો બોધ થઈ ગયો હોય તો “પ્રવૃત્તિ સ્વતઃ જ કરે છે' ઇત્યાદિ જણાવનાર વચન જ્યાં સુધી એના પર વિચાર કરાયો નથી ત્યાં સુધી જ રમણીય લાગે છે, વિચાર કરવાથી તો એ અરમણીય જ ભાસે છે. તે આ રીતેપ્રવૃત્તિની જનક ઇચ્છા છે અને ઇચ્છાનું જનક ઈષ્ટસાધનતા જ્ઞાન છે. કય્યતાને જણાવનાર જે ઉપદેશ છે તે જ પ્રવૃત્તિનું જનક જે ઇચ્છા તેના જનક જ્ઞાનના વિષયભૂત ઇષ્ટસાધન વગેરેનો (આ મારી ઈષ્ટ ચીજનું સાધન છે.”) બોધક હોઈ પ્રવર્તક (પ્રવૃત્તિ કરાવનાર) હોય છે. ઇષ્ટ સાધનતાનું જ્ઞાન-પ્રવૃત્તિ કરવાની ઇચ્છા અને પ્રવૃત્તિ-એવા જ્ઞાન, ઇચ્છા અને પ્રવૃત્તિના આ ક્રમમાં ઈષ્ટ સાધનતાનો બોધ કરાવવો એ જ વિધ્યર્થપ્રયોગનું પ્રવર્તકત્વ છે એવું શાસ્ત્રજ્ઞો માને છે. વિધિવાક્ય આ રીતે પ્રવર્તક હોવાથી જ કહ્યતાદિના બોધક અર્થવાદથી પણ વિધિની કલ્પના કરવામાં આવે છે. અર્થાત્ તે તે
१. पञ्चेन्द्रियव्यपरोपणाऽपि कल्प्या इति ।