________________
જીવાદિ તત્ત્વોમાં શ્રદ્ધા રાખવી અને સમ્યક જ્ઞાન એટલે જીવાદિ પદાર્થોનો (તત્ત્વનો) યથાર્થ બોધ થવો.
જૈન દર્શનમાં જ્ઞાનના પાંચ પ્રકાર બતાવ્યા છે - મતિ-શ્રુત -ડવા -મન:પર્યાય -વેવાનિ જ્ઞાનમ્ ા.8ા તત્ત્વાર્થસૂત્ર
અર્થ : મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ એ પાંચ જ્ઞાન છે. (૧) મતિજ્ઞાન ઃ મન અને ઇંદ્રિયોની સહાયથી થતો બોધ. (૨) શ્રુતજ્ઞાન : શબ્દ દ્વારા અથવા સંકેત દ્વારા જે જ્ઞાન થાય છે એટલે
શાસ્ત્રાભ્યાસથી કે ગુરુ પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત થાય તે શ્રુતજ્ઞાન.
આ બંને જ્ઞાન ઇન્દ્રિયાધીન હોવાથી પરોક્ષ જ્ઞાન કહેવાય છે. (૩) અવધિજ્ઞાન : ઇંદ્રિય અને મનની અપેક્ષા વિના આત્મશક્તિથી અમુક
અવધિમાં રહેલાં રૂપી દ્રવ્યોનો બોધ. (૪) મન:પર્યવજ્ઞાન : અઢી દ્વિીપમાં રહેલા સંજ્ઞી પંચેંદ્રિય જીવોના મનના
પર્યાયોનો અર્થાત્ વિચારોનો બોધ. (૫) કેવળજ્ઞાન : લોકાલોકના રૂપી-અરૂપી સર્વ દ્રવ્યોના ત્રણે કાળના સર્વ
પર્યાયોનું જ્ઞાન તે કેવળજ્ઞાન. કેવળજ્ઞાન એટલે શુદ્ધ, સર્વ આવરણ રહિત, સંપૂર્ણ જ્ઞાન.
આ ત્રણે જ્ઞાન ઇંદ્રિયાધીન નથી અને પ્રત્યક્ષ છે. કેવળજ્ઞાન સર્વોત્કૃષ્ટ જ્ઞાન છે. ચાર ઘાતી કર્મોનો ક્ષય થાય ત્યારે જીવને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે.
સમ્યક્ ચારિત્ર : એટલે યથાર્થ જ્ઞાનપૂર્વક અસત્ ક્રિયાથી નિવૃત્તિ અને સક્રિયામાં પ્રવૃત્તિ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનપૂર્વક આત્મામાં રમણતા, સ્થિરતા કરવી તે સમ્યક્ ચારિત્ર છે. મોક્ષપ્રાપ્તિ માટે સમ્યક્ જ્ઞાનની સાથે સમ્યક્ ચારિત્રની આવશ્યકતા છે. આ બેઉના સુયોગ વિના મોક્ષપ્રાપ્તિ શક્ય નથી. જૈન ધર્મમાં સાધુઓએ સંપૂર્ણ ત્યાગરૂપી સર્વવિરતિ ચારિત્રનું અને ગૃહસ્થોએ આંશિક ત્યાગરૂપી દેશવિરતિ ચારિત્રનું પાલન કરવાનું હોય છે. અર્થાત્ ચારિત્ર એટલે જ સંયમની આરાધના. સાધુઓએ આ પાંચ મહાવ્રતનું પાલન કરવાનું હોય છે. આ પાંચ મહાવ્રત છે : (૧) અહિંસા (૨) સત્ય (૩) અસ્તેય (૪) બ્રહ્મચર્ય (૫) અપરિગ્રહ.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )