________________
છે. તેની બહારનો પ્રદેશ અલોક છે, તે અનંત છે.
પુદ્ગલાસ્તિકાય પુદ્ગલ = પુ + ગલ અર્થાત્ પુરણ+ગલન. અણુના સમૂહને પુદ્ગલ કહેવામાં આવે છે. આ સમસ્ત લોકમાં અનંત પુદ્ગલ છે. પુદ્ગલને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ હોય છે. તે એકમાત્ર રૂપી દ્રવ્ય છે.
કાળ જીવ અને પુગલમાં પરિવર્તન આણનાર નવી વસ્તુને જીર્ણ કરનાર તત્ત્વ તે કાળ છે.
આવી રીતે જૈન દર્શન પ્રમાણે જીવ અને આ પાંચ પ્રકારના અજીવ દ્રવ્ય એમ ૬ દ્રવ્યથી સમસ્ત સૃષ્ટિ બનેલી છે. (૩) પુણ્ય : જે તત્ત્વ આત્માને શુભ તરફ લઈ જાય તે પુણ્ય. મન, વચન અને
કાયાથી જે શુભ કર્મો બંધાય છે તે પુણ્ય. શુભ ભાવ, દાન, તપ ઇત્યાદિથી પુણ્ય બંધાય છે જે જીવને ઉત્તમ ગતિ, ઉત્તમ ગોત્ર, આયુષ્ય, આરોગ્ય,
રૂપ, સંપત્તિ, શુભ સંયોગો ઇત્યાદિ પ્રાપ્ત કરાવે છે. (૪) પાપ ઃ જે તત્ત્વ આત્માને અશુભ તરફ લઈ જાય તે પાપ. જેનાથી જીવને
દુ:ખ સહન કરવું પડે છે. મન, વચન, કાયાથી જે અશુભ કર્મો બંધાય છે તે પાપ છે. કષાય, હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ વગેરેથી પાપ બંધાય છે જેનાથી જીવને વિવિધ પ્રકારનાં દુ:ખો ભોગવવા પડે છે. પુણ્યથી શુભ કર્મ બંધાય છે, પાપથી અશુભ કર્મ બંધાય છે. મોક્ષપ્રાપ્તિ માટે જીવે
શુભ અને અશુભ બંને પ્રકારનાં કર્મનો ક્ષય કરવાનો છે. (૫) આસ્રવ : આસવ એટલે પુણ્ય અથવા પાપરૂપ કર્મોનું આત્મામાં પ્રવેશવું.
મન, વચન અને કાયાથી શુભ અથવા અશુભ વ્યાપારકર્મના પુગલો જે
આત્મામાં પ્રવેશે છે તે આસવ કહેવાય છે. (૬) બંધ આ કર્મના પુગલોનો આત્મા સાથે સંબંધ થવો તે બંધ. આ સંબંધ
ક્ષીરનીરની જેમ ગાઢ હોય છે. (૭) સંવર : આત્મામાં પ્રવેશ કરતા કર્મ-પુદ્ગલ જેનાથી રોકાય તે સંવર. જે
નિમિત્તોથી કર્મ બંધાય છે તે નિમિત્તોને રોકવા તે સંવર કહેવાય છે. (૮) નિર્જરા પૂર્વે બંધાયેલ શુભાશુભ કર્મોનો ક્ષય કરવાની પ્રક્રિયા તે નિર્જરા.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની