________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૧૫ તો સર્વજ્ઞ ત્રિલોકનાથ, જેમની પાસે એકભવમાં મોક્ષ જનારા ઈદ્રો સાંભળે છે. એ ગલૂડિયાંની જેમ સભામાં બેઠાં હોય છે આહા..! હા ! એ કોઈ વારતા નથી. કથા નથી એ ચૈતન્ય હીરલાની વાતું ચૈતન્યમણીની વાતું છે પ્રભુ!
આહા..! એ ચૈતન્ય હીરો! કેવો છે? આહાહા! કહે છે.. સદાય પરિણમન' એની પર્યાયનું બદલવું સદાય છે. આહા.. હા ! એક ધારાવાહી સદાય પરિણમે છે! પરિણમે. પર્યાય.. પર્યાય.. પર્યાય. ઉત્પાદ... વ્યયઉત્પાદ. વ્યય થયા જ કરે. નવી ઉત્પાદ થાય, જૂની વ્યય થાય. બીજે સમયે નવી ઉત્પન્ન થાય. વ્યય થાય એમ પરિણમન સદાય.. ક્રમસર! આહા.. જુઓ આમાં કમસર પણ નીકળે છે!
આહા.“સદાય પરિણમનસ્વરૂપ, સ્વભાવમાં રહેલો ધ્રુવ! આહાહા ! એ પરિણમનસ્વરૂપ ઉત્પાદ-વ્યય અને સ્વભાવમાં રહેલો એ ધ્રુવ! આહાહા ! એ ઉત્પાદ-વ્યય ને ધ્રુવ સ્વરૂપમાં રહેલો છે એટલે કે પરિણમનમાં રહ્યો છે એ ઉત્પાદ-વ્યય અને ધ્રુવમાં રહ્યો છે ઈ કાયમનું નિત્ય સ્વરૂપ આહા..
ટકતું ને બદલતું, બે સ્વરૂપે છે. નિત્ય પરિણામી ! ધ્રુવઉત્પાદવ્યય ! આહા.. હા !
અરે! એણે પોતાની ચીજને અને તે સર્વજ્ઞ પરમેશ્વરે, કેવળી પરમેશ્વરે કહી છે એ વાત એણે સાંભળવા દરકાર કરી નથી. આહા..! અને આવું સ્વરૂપ, દિગંબર સંત સિવાય ક્યાંય છે નહીં. બધે ઊંધું જ માર્યું છે લોકોએ એક્કેએકે!
આહા.. હા! પરીક્ષા નથી ત્યાં ગોળ ને ખોળ સરખું! હું? આહા.. હા! જેની એક એક કરીને એક-એક લીટી, પાર પામે નહીં એટલી વસ્તુ છે એમાં.
આહા... હા! કહે કે સમયસાર અમે વાંચી ગ્યા! વાંચ્યા બાપા!! (શ્રોતા ) શબ્દો વાંચ્યા, ભાવ સમજ્યા વિના (ઉત્તર) શબ્દો વાંચ્યાની શું ચ્યું ભાઈ, અંદર ભાવ શું છે એ ખ્યાલમાં ન આવે, એ વાંચ્યા ઈ વાંચ્યું શું? ગડિયો ગોખે ગ્યો! એ ગડિયાની ભાષા બીજી કહેશે (હિન્દી શ્રોતા) પાડા. (ઉત્તર) પાડા. (ચંદુભાઈ રાત્રે નહોતાને અત્યારેય નથી) બેયમાં નહોતા આવી વાત જિંદગીમાં પહેલી કહેવાસી છે. ભાવ અને છેડાવિનાના ભાવ, છેડાં વિનાની પર્યાય/કાર્ય એકહારે ભલે હો ! છેડા વિનાના અવિભાગ પ્રતિચ્છેદ ! છતાં તે જ્ઞાનની પર્યાય એનો અંત લઈ લ્ય છે, “જાણે છે” એમ કીધું ને..!
અનંતા દ્રવ્યોનું ધ્રુવપણું અને અનંતા દ્રવ્યોનું ઉત્પાદ-વ્યયપણું, આંહી આત્માની વાત કરે છે પણ આત્માની પર્યાયમાં, અનંતા દ્રવ્યોના ગુણપર્યાયો પરિણમનમાં જણાઈ જાય છે. એ જ્ઞાનના પરિણમનમાં જણાઈ જાય છે.
આહા.એના પોતાના અસ્તિત્વમાં જ અનંતા દ્રવ્યગુણપર્યાયો, એ જ્ઞાનની પર્યાયનું પરિણમન થતાં તેમાં જણાઈ જાય છે.
આહા... હા ! “સદાય પરિણમનસ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની એકતારૂપ અનુભૂતિ” શું કીધું જોયું? પરિણમન છે ઉત્પાદ વ્યયનું ઉત્પાદ-વ્યય ઉત્પાદ-વ્યય એકસમયમાં, ધ્રુવપણ એક સમયમાં. એ ત્રણની એકતારૂપ અનુભૂતિ-ત્રણનું એકપણે થવું, ત્રણનું એકપણે થવું જેનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com