________________
ગૌણ
|ી
.
તે
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૮૩ આંહી પરની દયા પાળવી કે પરની હિંસા (આત્મા) કરી શકે છે, એ વાત તો છે જ નહીં કારણકે એ વાત (સ્વરૂપમાં જ) નથી, એ કરી શકતો નથી, (કર્તાપણું) એ તત્ત્વમાં જ નથી, એની વાત શું કરવી?
એનામાં ઈ કરી શકે છે-પર્યાયદષ્ટિ અને દ્રવ્યદષ્ટિ, એ (બે) વાત કરે છે. સમજાણું કાંઈ.....?
મલિનપર્યાય કરી શકે છે અજ્ઞાનભાવે પર્યાયદષ્ટિએ પણ એથી પરનું કાંઈ કરી શકે છે, એ તો વાત આંહી લીધી જ નથી, કારણ કે પર તો પરપણે છે અને (આત્મા) શું કરી શકે?
તારામાં હવે બે વાત છે. જો પર્યાયદષ્ટિએ જોઈએ તો તારામાં મલિનતા છે, એ પણ બરાબર છે. દ્રવ્યદૃષ્ટિએ જોઈએ તો તે જે છે તે જ છે. એ પણ બરાબર છે. (બેય) બરાબર છે તો. જે ત્રિકાળી ચીજ છે તે દૃષ્ટિમાં લેવા.. એ મલિનતા જે પર્યાયમાં છે. તે છે છતાં તેને નથી એમ કહીને એને ત્રિકાળી જે છે અને મુખ્ય કરીને-નિશ્ચય કરીને, સત્ય કહીને એનો આશ્રય લેવરાવ્યો છે. આહા.. હા ! હવે, આવો ઉપદેશ છે!! પર્યાયદષ્ટિથી જોવામાં આવે તો મલિન દેખાય છે.
એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે” જોયું? દ્રવ્ય જે છે તે જ છે, તો “દ્રવ્ય શું છે ઈ? આત્માનું હવે લેવું છે ને દ્રવ્ય !! બાકી (વિશ્વમાં) બીજાં દ્રવ્ય તો છે, પણ આંહી ‘દ્રવ્ય' જે છે તે શું? “એનો સ્વભાવ શાયકપણું માત્ર છે. “દ્રવ્ય આહા.! જાણકસ્વભાવ! ધ્રુવમાત્ર પ્રભુ! એ આત્મા છે. અનાદિ-અનંત એ વસ્તુ છે. (તેને) દ્રવ્યથી કહો કે જ્ઞાયકપણાથી કહો, એ બધી એક ચીજ છે. પણ ‘દ્રવ્ય' કહ્યું છે તો સામાન્ય થઈ ગયું અમારે એમાં “આત્મા’ કહેવો છે. ત્યારે તેને કહ્યું કે એ આત્માનો સ્વભાવ “જ્ઞાયકપણું માત્ર” છે. ( વિશ્વમાં) દ્રવ્ય તો છ એ છે, એ તો બધા દ્રવ્યોની સામાન્ય વાત કહી. પણ, “આ દ્રવ્ય છે” એ વસ્તુ શું છે? તો કહે છે કે (વિશ્વમાં) દ્રવ્ય તો પરમાણુ પણ છે, આકાશ પણ છે. પણ આ જ્ઞાયકમાત્ર દ્રવ્ય છે. જ્ઞાયકપ્રભુ ! જાણક-સ્વભાવસ્વરૂપ તે દ્રવ્ય છે. (વિશ્વમાં) દ્રવ્ય તો પરમાણુ છે ને આકાશ પણ છે એ કાંઈ જ્ઞાયક સ્વભાવ સ્વરૂપ નથી, એ તો જડસ્વરૂપ છે.
“આ રીતે આત્માનો સ્વભાવ જ્યારે દ્રવ્ય જે છે તે જ છે, (એમ કહ્યું) તો એ તો “જ્ઞાયકપણું માત્ર” છે. આહા.. હા! જાણક... સ્વભાવની મૂર્તિ. પ્રભુ... આત્મા છે. જાણક્રસ્વભાવની પૂતળી પોતે છે. એકલો જ્ઞાયકભાવ! એ દ્રવ્ય !! સમજાણું કાંઈ...? મારગ બહુ અલૌકિક છે બાપા! એક તો આવું સત્ય છે, તેવું સાંભળવા મળે નહીં, તે કે દિ' વિચારે.. અને વાસ્તવિક છે જે કરવા જેવું તે કદિ' કરે?! એ દ્રવ્ય! આત્માનો સ્વભાવ, કાયમી દ્રવ્ય લેવું છે ને...! કહે છે કે દ્રવ્યનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર ! બિલકુલ, રાગને પુણ્યને સંસાર ને ઉદયભાવ એમાં બિલકુલ છે નહીં. એ તો જ્ઞાયક માત્ર પ્રભુ ધ્રુવ, જાણક્રસ્વભાવનો કંદપ્રભુ! જાણક્રસ્વભાવનું વજૂબિંબ !! એ તો “જ્ઞાયકમાત્ર” પ્રભુ છે.
“જેની દૃષ્ટિ કરતાં સમયગ્દર્શન થાય' એ જ્ઞાયકની દષ્ટિ કરતાં સમ્યગ્દર્શન થાય છે, કારણ કે સમ્યફ નામ સત્યદર્શન!! એ જ્ઞાયક ત્રિકાળી સત્ છે, એનું દર્શન કરતાં સમ્યગ્દર્શન થાય. સમજાણું કાઈ... ?
(કહે છે) અને તેની અવસ્થા, પુદ્ગલ કર્મના નિમિત્તથી રાગાદિરૂપ મલિન છે' તે પર્યાય છે. પહેલી સાધારણ વાત કરી 'તી પછી, દ્રવ્ય (ને) જ્ઞાયકભાવ તરીકે બતાવીને, એ વસ્તુ (આત્મતત્ત્વ) જ્ઞાયકભાવમય દ્રવ્ય છે. (એમ કહ્યું ) અને એની પર્યાયમાં, તેની અવસ્થા પુદ્ગલ કર્મના નિમિત્તથી” (એમ કહ્યું તો) નિમિત્તથી એટલે એનાથી એમ નહીં.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com