________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૨૧૧ ઉત્પન્ન થાય, રાગભાવ ઉત્પન્ન થાય નહીં. આહાહા.... હા... હા !
ઝીણું થોડું પડે પણ આ વાતે ય તે ફરી – ફરીને આવે છે બે ત્રણ વાર. મારગ આવો છે. બાપા! ઓહોહો....! શું કહ્યું? એ બે પ્રકારનો જ ઉપદેશ છે. કયા બે પ્રકારનો? દ્રવ્ય અને ભાવ, પર દ્રવ્યનું લક્ષ અને ઉત્પન્ન થતો ભાવ. એ નિમિત્ત-નૈમિત્તિક ! ઈ બે પ્રકારનો જે ઉપદેશ છે તે “તે દ્રવ્ય અને ભાવના નિમિત્ત – નૈમિત્તિકપણાના ભાવને જાહેર કરતો થકો” એટલે ? ભાવ ક્યો વિકારી, દ્રવ્ય કોણ પર. પરદ્રવ્યના લક્ષ નિમિત્તે એ દ્રવ્યને આંહી વિકારમાં ભાવ એ નિમિત્ત – નૈમિત્તિકને જાહેર કરતો (થકો ) આત્મા અકારક છે એમ સિદ્ધિ કરે છે. આહા.... હા... હા... હા.. હા.. હા.... હાં...!
ઝીણી વાત છે બાપુ આ કાંઈ કથા વાર્તા નથી. આહા... હા! આતો ત્રણ લોકના નાથ! એની કથા છે. ધર્મકથા, ધર્મકથા છે આ તો...! આહા..હા....!
આહા...હા...! દ્રવ્ય અને ભાવના નિમિત્ત-નૈમિત્તિકપણાને' દ્રવ્ય નિમિત્તને ભાવ નૈમિત્તિક એમ. પર દ્રવ્યનું લક્ષ એ નિમિત્ત ને નૈમિત્તિક એ ભાવ, વિકારભાવ, પુણપાપના. “એને જાહેર કરતો થકો, આત્માના અકર્તાપણાને જ જણાવે છે' એ નિમિત્ત-નૈમિત્તિક જાહેર એમ કરે છે કે આત્મા સ્વયં અકર્તા છે. એ તો નિમિત્તનું લક્ષ કરે ને વિકાર કરે તો (કર્તા કહેવાય છે) બાકી સ્વયં તો અકર્તા છે. આહા..હા..હા...!
કો” ભાઈ ? આવું ક્યાં છે તમારે કલકત્તામાં? ધૂળમાંય નથી ક્યાંય... (શ્રોતા !) પૈસો ધૂળ છે. એ! (ઉત્તર) ધૂળ છે. પૈસા, પૈસા! અરે.... રે! કહે છે કે દયા-દાન-વ્રત-ભક્તિના તેપણ નૈમિત્તિક ભાવ છે તે નિમિત્તને લક્ષ નૈમિત્તિક થાય છે. એ નૈમિત્તિક, સ્વભાવને લક્ષે થતા નથી. આહા... હા.... હા.... હા...! અરે. આવું!
એથી એનો સ્વભાવ, ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ! એનો સ્વભાવ/આ નિમિત્તને લક્ષ વિકાર થાય એ નિમિત્ત – નૈમિત્તિક સંબંધને જાહેર કરતો થકો એ (સંબંધ) ભગવાન આત્માનો સ્વભાવ અકારક છે એમ સિદ્ધ કરે છે.
એ પર્યાયબુદ્ધિમાં નિમિત્તના લક્ષે વિકાર થાય ઈ એમ પ્રસિદ્ધ કરે છે. આત્માનો સ્વભાવ તો અકારક જ છે. આહા... હા... હા !! કો” ચેતનજી! ચેતનજી કહે ફરીને લેવું! પાઠ એવો છે ફરીને લેવા જેવો હતો. આહા... હા...! આ સમજાય એવું છે હો ! ભાષા તો સાદી છે. ભાવ ભલે જે ઝીણાં હોય!
આહા... હા! માટે નક્કી થયું કે પરદ્રવ્યનું નિમિત્ત છે” આ ઓલા વાંધા કરે છે ને...” નિમિત્ત છે તેનાથી થાય! નિમિત્ત છે પણ તેનાથી થતું નથી. “પદ્રવ્ય નિમિત્ત છે” જોયું? (એમ અહીં કહ્યું, “અને આત્માના રાગાદિભાવો નૈમિત્તિક છે.” આહા...હા....હા ! જ્ઞાયક ભગવાન! અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ! સચ્ચિદાનંદ આવ્યા અંદર પૂર્ણાનંદનો નાથ જે વસ્તુ છે એ પૂર્ણ શુદ્ધ છે. વસ્તુ પોતે છે ઈ શુદ્ધને પવિત્ર ને પૂરણ છે. એવો ભગવાન અંદર આત્મા, એ પોતાના આશ્રયે – લક્ષ સ્વભાવે વિકારનો અકર્તા છે.
ત્યારે કહે કે (વિકાર) થાય છે કેમ? કે એનો પોતાનો સ્વભાવ છે તેની દષ્ટિ છોડી દઈને, નિમિત્તના લક્ષે | જે નિમિત્ત એના નથી. જેનામાં એ છે એમાં જેમ છે એમાં દષ્ટિ ન આપતાં જે એમાં નથી એમાં દષ્ટિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com