________________
૨૨૪
૧૯.
૨૦.
૨૧.
૧.
ર.
૩.
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પ્રવચન રત્નો-૧ સાક્ષાત્ જ્ઞાનદર્પણ ભૂમિકામાં ઊતરેલા બિંબસમાન પોતપોતાના શેયાકારોનાં કારણો હોવાથી અને પરંપરાએ પ્રતિબિંબ સમાન શૈયાકારોના કારણો હોવાથી પદાર્થો કઈ રીતે જ્ઞાનસ્થિત નથી નક્કી થતા ? ( અવશ્ય જ્ઞાનસ્થિત નક્કી થાય છે)
ફૂટનોટ :- જ્ઞાનને દર્પણનીઉપમા આપીએ તો પદાર્થોના શેયાકારો બિંબસમાન છે અને જ્ઞાનમાં થતા જ્ઞાનની અવસ્થારૂપ શેયાકારો પ્રતિબિંબ જેવા છે-પદાર્થો પોતપોતાના દ્રવ્યગુણ-પર્યાયોનાં સાક્ષાત્ કારણ છે અને પરંપરાએ જ્ઞાનની અવસ્થારૂપ જ્ઞેયાકારોનાં (જ્ઞાનાકારોનાં ) કારણ છે. (શ્રી પ્રવચનસારજી શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત ટીકા ગાથા-૩૧)
સિદ્ધ પરમેષ્ઠીના જ્ઞાનમાં કોઈ પદાર્થનો વિનાશ સંભવ નથી. અર્થાત્ બધા પદાર્થો તેમનાં જ્ઞાનમાં પોતપોતાન ભિન્ન ભિન્ન સત્તારૂપ રહીને જ સર્વદા પ્રતિબિંબિત થયા કરે છે. (૫૨મ અધ્યાત્મ તરંગિણી કળશ-૧)
શેયો પણ પોતપોતાના સ્થાને રહીને જ્ઞાનમાં પ્રતિબિંબિત થયા જ કરે છે. આવો જ જ્ઞાન અને જ્ઞેયોનો પ૨સ્પ૨માં જ્ઞાયક શૈય સંબંધ અનાદિથી ધારાપ્રવાહરૂપે ચાલ્યો આવે છે અને આ પ્રકારે જ અનંતકાળ સુધી ચાલ્યા કરશે. ભાવાર્થમાં છે કે બધા પદાર્થો જ્ઞેય છે. અને જ્ઞાનમાં પ્રતિભાસિત થયા જ કરે છે. (૫૨મ અધ્યાત્મ તરંગિણી કળશ-૬)
આત્મા જ્યારે પરિપૂર્ણ નિરાવરણ કેવળજ્ઞાન સમ્પન્ન થાય છે ત્યારે તેમાં ત્રણલોકવર્તી અનંતાનંત પદાર્થો પોતાની ત્રણે કાળની પર્યાયો સહિત યુગપત્ એક જ સમયમાં એક જ કાળે પ્રતિબિંબિત થાય છે. તેમના પ્રતિબિંબિત થવા છતાં પણ આત્મા તો પોતાના સ્વરૂપમાં જ નિમગ્ન રહે છે. આત્માનો સ્વભાવ જ્ઞાયક છે અને શૈયોનો સ્વભાવ શેયરૂપે જ્ઞાનમાં પ્રતિબિંબિતથવું-ઝળકવું તે છે. બન્ને પોતપોતાના સ્વભાવમાં જ રહે છે. (૫૨મ અધ્યાત્મ તરંગિણી કળશ-૩૩)
(૨) ગુરુવાણીમાંથી
દર્પણમાં જે પ્રતિબિંબ દેખાય છે તે તો દર્પણની સ્વપર આકારનો-સ્વરૂપનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે. તેમ ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે એ શૈયાકાર સ્વનું જ્ઞાન કરે છે અને દયા-દાન-વ્રતાદિ વિકલ્પનું જ્ઞાન કરે છે. એ પરનું જ્ઞાન થાય છે એ પોતાની પર્યાયમાં થાય છે. એ પરનું જ્ઞાન પરમાં તો થતું નથી પણ પ૨ને લીધે પણ થતું નથી. પોતાના જ્ઞાનની સ્વચ્છત્વ શક્તિને લીધે થાય છે. (પ્રવચન રત્નાકર ભાગ-૨, પાનું-૫૪)
લોકાલોક છે તો કેવળજ્ઞાનની પર્યાય છે એમ નથી. જ્ઞાનની સ્વપર પ્રકાશક પરિણતિ એ પોતાના સ્વભાવથી થાય છે, લોકાલોકથી નહીં. સ્વપરનો પ્રતિભાસ થવો એ પોતાનું સહજ સામર્થ્ય છે; પર છે તો પ૨નો પ્રકાશ થાય છે એમ નથી. આત્માની તો સ્વપરને જાણનારી જ્ઞાતૃતા છે. (પ્રવ. રત્ના. ભાગ-૨, પાનું ૫૫ )
ભગવાન આત્મા જ્ઞાયકભાવ સ્વભાવરૂપ છે. એમાં વ્યવહાર રત્નત્રયનો જે રાગ થાય તે રાગ સંબંધીનું પણ તે કાળે પોતાનું જ્ઞાન પરિણમે છે એ શેયાકારે પરિણમે છે એમ કહેવું તે વ્યવહાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com