________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૬
શ્રી પ્રવચન રત્નો-૧ જ હોય. રાગ-દયા-દાન-વ્રત-ભક્તિનો, સ્તુતિનો રાગ, એ કાંઈ તસ્વરૂપ નથી, એ કાંઈ આત્મસ્વરૂપ નથી.
આહાહાહા ! એથી વ્યાપ્યવ્યાપકપણું એટલે કે કર્તાકાર્યપણે તસ્વરૂપમાં જ હોય. એટલે આત્મા જ્ઞાનસ્વરૂપ છે/તસ્વરૂપમાં કર્તાકર્મપણું હોય (તેથી) કર્તા આત્મા અને જ્ઞાનપરિણામ કાર્ય (કર્મ). ‘સતવાત્મનિ માપ ન થવ' “અતસ્વરૂપમાં ન જ હોય' (એટલે) રાગ જે વ્યવહારરત્નત્રયનો વિકલ્પ ઊઠે છે તે અતસ્વરૂપ છે. આહા.... હા! હવે.. આવી વાતું! નવા અજાણ્યા માણસને તો એવું થાય કે શું આ તે કહે છે!! સાંભળવા મળ્યું નથી અને પરિચય નથી.
આહા.. હા! “વ્યાપ્યવ્યાપકપણે તસ્વરૂપમાં જ હોય” એટલે? ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપઆનંદસ્વરૂપ (છે), એના પરિણામ પણ જ્ઞાનસ્વરૂપ-આનંદસ્વરૂપ, ઈ આત્મા! આત્મા વ્યાપક જ્ઞાનપરિણામ વ્યાપ્ય તે તેનું તસ્વરૂપ છે. ઈ તસ્વરૂપમાં કર્તા-કર્મપણું હોય, તસ્વરૂપમાં વ્યાપયવ્યાપકપણું હોય, તસ્વરૂપમાં કારણ-કાર્યપણું હોય. (શ્રોતા:) ક્ષયોપશમજ્ઞાન એ તસ્વરૂપ કહેવાય કે નહીં ? ( ઉત્તર:) બહારનું... બહારનું જ્ઞાન, એ જ્ઞાન નથી. ઈ પરજ્ઞાન છે ! પરસત્તાવલંબી !
એ આવી ગયું છે આપણે શેયનિષ્ઠ-શેયનિમગ્ન! આમે ય અગ્યાર અંગનું (જ્ઞાન) અનંત વાર કર્યું છે. નવ પૂર્વ અનંતવાર થયાં છે! એ સ્વય હોય તો કલ્યાણ થઈ જાય ત્યાં, આહા. હા ! એનાથી એક ભવ ઘટયો નથી. (શ્રોતા ) વધ્યો ખરો ! (ઉત્તર) એ ભવ જ છે ત્યાં વધવાનું શું? ઈ પોતે જ ભવસ્વરૂપ છે, જેમ રાગ ભવસ્વરૂપ છે એમ “પરસંબંધીનું જે જ્ઞાન સ્વનું મૂકીને (પસંબંધી જ્ઞાન) એ ભવસ્વરૂપ જ છે!
ઝીણી વાત છે પ્રભુ! આહા! આવો વીતરાગ મારગ! સર્વજ્ઞ પરમેશ્વરના મુખથી નીકળી છે. વાણી એ “આ” વાણી છે! આ તો સમયસાર છે! ઓલું-પ્રવચનસાર દિવ્યધ્વનિનો સાર! “આ” તો આત્માનો સાર !!
આહા. હા! “વ્યાપકવ્યાણકપણું સ્વરૂપમાં જ હોય' – જોયું? તસ્વરૂપમાં “જ” હોય ! એકાંત કરી નાખ્યું. કથંચિત્ તસ્વરૂપમાં અને કથંચિત્ અતસ્વરૂપમાં એમ નહીં. આ એ અતિથી કહ્યું. હવે ‘સતીત્મનિ પિ ન થવ' “અતસ્વરૂપમાં ન જ હોય.' અને વ્યાપ્યવ્યાપક ભાવના સંભવ વિના “Öરિથતિ: 1:' - કર્તાકર્મની સ્થિતિ કેવી ?
આહા.. હા! રાગનું કાર્ય આત્માનું ને કર્તા આત્મા એમ અતસ્વરૂપમાં ક્યાંથી આવ્યું? સમજાણું કાંઈ....?
તસ્વરૂપમાં આવે આત્મા કર્તા અને એના શુદ્ધસ્વભાવના-મોક્ષમાર્ગના પરિણામ તેનું કર્મ હોય. આત્મા વ્યાપક અને મોક્ષમાર્ગના પરિણામ વ્યાપ્ય એ તસ્વરૂપમાં કર્તાકર્મપણું હોય.
પણ... રાગ તે વ્યાપ્ય અને આત્મા વ્યાપક-કર્તા તેનું કાર્ય રાગ એમ નથી. અતસ્વરૂપમાં વ્યાયવ્યપકપણું નથી. આહા.. હા ! પુદ્ગલપરિણામમાં વ્યાપક આત્મા અને પુદ્ગલપરિણામ વ્યાપ્ય એમ નથી. પુદ્ગલ વ્યાપક અને એ (રાગ-વ્યાપ્ય છે ) આહા...! ગજબ વાતું છે ને...!
ભગવાનની ભક્તિ-ભગવાનની સ્તુતિ એ પણ પુગલના પરિણામ પુદગલ વ્યાપકનું વ્યાપ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com