________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો -૧
૨૦૩
૪૦)
”
શ્રી સમયસાર ગાથા - ૨૮૩ થી ૨૮૫ ક્રમાંક: ૩૪૮ દિનાંક ૧૬-૧૧-૭૯.
સમયસાર, તા. ૨૮૩-૮૪-૮૫ ગાથા. એની ટીકા. ઝીણો અધિકાર છે થોડો!
ટીકાઃ “આત્મા પોતાથી રાગાદિકનો અકારક જ છે” આત્માનું સ્વરૂપ જ એવું છે કે પોતાને આશ્રયે રાગ થાય એવું એનું સ્વરૂપ જ નથી. દયા -દાન- વ્રત –ભક્તિ –કામ ક્રોધાદિના ભાવ, એ આત્માને આશ્રય થાય એવો આત્માનો સ્વભાવ જ નથી. આહા... હા! આત્મા પોતાથી પુણ્યને પાપ, રાગ અને દ્વેષ, દયા ને દાન, વ્રત ને ભક્તિ આદિના પરિણામ, એનો પોતે અકારક “જ' છે. આહા... હા... હા! આત્મા અકારક જ છે રાગાદિનો જો એમ ન હોય... જો આત્મા પોતાથી રાગાદિકનો કારક હોય શું કહે છે હવે?
કે રાગાદિ થાય છે ઈ પોતાના સ્વભાવ ને આશ્રયે નથી થતાં. ફકત પરદ્રવ્યના નિમિત્તના લક્ષે પોતામાં થાય છે ઈ પોતાના સ્વભાવમાં, એ રાગાદિ નથી. આહા.. હા! સૂક્ષ્મ વિષય છે! થોડું ચાલી ગયું છે આ તો ફરીને..
એ પોતાથી એકલો જ્ઞાયકસ્વરૂપ! એ જ્ઞાયક !! રાગનો ત્યાગ કહેવો ઈ પણ એને લાગુ પડતું નથી કહે છે. એ તો અકારક જ છે. આહા.... હા...! રાગનો ત્યાગ, આત્માએ કર્યો એ પણ એક વ્યવહારનું વચન છે. પોતે તો... રાગરહિત જ એનું સ્વરૂપ છે! અને પોતાના આશ્રયે.... રાગ કે દયાદાન કે કામક્રોધઆદિના પરિણામ થાય, એવું એનું સ્વરૂપ જ નથી. સમજાય છે કાંઈ.... ?
એ પરદ્રવ્યના નિમિત્તના લક્ષ (રાગાદિ) ઉત્પન્ન થાય છે. નિમિત્તથી નહીં પણ પરદ્રવ્યના નિમિત્તના લક્ષે એમાં વિકાર, પુણ્ય-પાપના ભાવ થાય! એથી આત્માનો વાસ્તવિક સ્વભાવ, સ્વથી રાગ કરવો - એવું એનું સ્વરૂપ જ નથી! સમ્યજ્ઞાની, ધર્મી જીવ, શુદ્ધ આત્મસ્વભાવમાં જ્ઞાયકની દષ્ટિને લઈને, પરનો ત્યાગ કરનારો તો એ છે નહીં “પોતે પોતાનો દેખનારો ને જાણનારો છે એ પણ વ્યવહાર છે.' આહાહા.. હાં.. હા ! સમજાય છે કાંઈ....?
આત્મા પરને જાણે–દેખે ને છોડે એ વાત તો એનામાં છે જ નહીં. ત્રણે ય આવી ગયાં. દર્શનજ્ઞાનને ચારિત્ર ! આત્મા... એકલો પર જાણે – દેખે અને છોડે, એવું એવું સ્વરૂપ જ નથી અરે.! પોતે – પોતાને જાણે ને દેખે ને રાગના અભાવ સ્વભાવ સ્વરૂપ અપોહક સ્વરૂપ છે એ પણ સ્વસ્વામીસંબંધનો વ્યવહાર છે. અહીં..! પરમાર્થ એને લાગુ પડતું નથી. કો” ભાઈ? ઝીણી વાતું છે!
સ્વયં ભગવાન આત્મા, જ્ઞાયકસ્વરૂપ તે જ્ઞાયક જ છે. એ જ્ઞાયકસ્વરૂપ છે તે પોતાને જાણે, પોતાને દેખે ને રાગનો ત્યાગ એનામાં કરે-એ પણ વ્યવહાર છે. “રાગ કરે.... પરને જાણે-દેખે ” એ તો તદ્દન અસભૂત વ્યવહાર છે. ઝીણું બહુ! ચેતનજીએ કીધું તું! આ ફરીને લેવું કીધું તું! કાલ કહ્યું તું થોડું ચાલી ગયું હતું આપણે ! આહા... હા! ભગવાન આત્મા! જ્ઞાયક તે જ્ઞાયક જ છે! જ્ઞાયક તે પરને જાણેને પરને દેખે ને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com