________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો -૧
૧૯૧ આવું સ્વરૂપ ક્યાંથી... એમ કહે છે.
આ અહીંનું કરેલું છે? અનાદિનો માર્ગ જ આ છે, પણ એણે સાંભળ્યો ન હોય એથી એને નવીન લાગે. એથી કંઈ માર્ગ નવો નથી. માર્ગ તો જે છે તે આ જ છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ' એ આહિં કહે છે.
લોભ... આઠ કર્મ એ આઠ કર્મ હું નહીં. મેં કર્મ બાંધ્યા અને મેં કર્મ છોડયા એ મારામાં નથી... આહા! શાસ્ત્રમાંથી સાંભળ્યું હોય કે ચોથે ગુણસ્થાને આમ આટલા કર્મ બાકી છે... આમ હોય. પણ એ તો એનું જ્ઞાન આટલા કર્મ બાકી છે..... આમ હોય. પણ એ તો એનું જ્ઞાન કરે છે. એ કર્મ મારાં છે એમ માનતો નથી. કેમ કે કર્મ છે એ જડ છે, અજીવ છે અને ભગવાન આત્મા જ્ઞાયક છે. એ સસ્વરૂપ છે એમાં જડકર્મનો ત્રિકાળ અભાવ છે. એ કર્મનો પ્રભુમાં (આત્મામાં) અભાવ છે. અરેરે ! આ કેમ બેસે? ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપી પ્રભુ અને કર્મ જડ છે. એ મારામાં નથી. હું સત્ છું એ અપેક્ષાએ એ આસત્ છે. અને એ સત્ છે. એ અપેક્ષાએ હું અસત્ છે. એ પરમાણુની પર્યાય છે. કર્મ છે એ કર્મવર્ગણાની પર્યાય છે. એ પર્યાય કર્મરૂપે પરિણમી છે તો એ એની છે. આહા ! એ કર્મ મારા નથી. મેં આયુષ્ય બાંધ્યું છે ને આયુ પ્રમાણે મારે દેહમાં રહેવું પડશે ને એય હું નથી. આહા ! આયુષ્ય છે એ તો જડ છે મેં બાંધ્યું નથી. મારું છે જ નહીં ને અને એને લઈને હું શરીરમાં રહ્યો છું એમે ય નહિને આહાહા ! મારી પર્યાયની યોગ્યતાથી હું શરીરમાં રહ્યો છું. મારી યોગ્યતા એટલી પૂરી થશે ત્યારે દેહ છૂટી જશે.
એ કર્મ મારાં નહીં. એ જ્ઞાનાવરણીય કર્મ મને નડે છે. એ મારા છે જનહીં પછી નડે શું?
લોકો કહે છે ને કે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય તો જ્ઞાન હણાય. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ હોય તો જ્ઞાન ખીલે અહીં ના પડે છે. ખીલવું અને રહેવું એ તો પોતાની પર્યાયની યોગ્યતા છે. એ કર્મ મારાં છે જ નહીં પછી મને એ લઈને મારામાં કાંઈ થાય એ વાત છે જ નહીં આહા !! એક કલાકમાં કેટલું યાદ રાખવું? જગતાં હાલે નહીં એવી વાત ! બાપુ ! એવો મારગ છે, ભાઈ ! આહા ! એ તો ત્રણ લોકના નાથ એનું વિવરણ કરે અને સંતો વિવરણ કરે એ અલૌકિક રીતે છે. આહા !
નોકર્મ.. મારા સિવાય જેટલી ચીજો છે એ બધા નોકર્મ એ મારામાં નથી. આહા એ સ્ત્રી મારી નથી એમ સમકિતી માને છે દુનિયા જેને અર્ધાગના કહે છે, આહા! એનો આત્મા જુદો – એના શરીરના રજકણો દ્રવ્ય જુદા. એ મારી અપેક્ષાએ અસત છે એની અપેક્ષાએ હું અસત છું તો એ મારાં ક્યાંથી થઈ ગયા? આહા ! તો કરવું શું? આ બાયડી છોકરાને છોડીને ભાગી જવું? ભાગીને ક્યાં જાવું છે? અંદરમાં જવું છે? (આત્મામાં ) એ નોકર્મ મારું નહીં આહાહાહા !
એ બંગલા.. એ પૈસા... એ સ્ત્રી... એ દિકરા એ દિકરીયું... વેવાઈ... જમાઈ, આહાહાહા ! એ મારાં સ્વરૂપમાં નહી એ એ મારું સ્વરૂપ નહીં. હું એને અડતો પણ નથી; એ ચીજ મને અડતી નથી. આહા! અરે! આ વાત કેમ બેસે ? અનંતકાળમાં રખડયો; અજ્ઞાન ભાવથી અને મૂઢભાવથી રખડે છે. એને આ વાત અંદરમાં બેસે ત્યારે ભવના અંત આવે એવું છે. ઓ નોકર્મ હું નહીં. નોકર્મમાં બધું આવ્યું, પૈસા સ્ત્રી, કુટુંબ, દીકરા, દીકરી, મકાન, આબરૂ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com