Book Title: Pravachana Ratno 1
Author(s): Kanjiswami
Publisher: Vajubhai Ajmera Vardha

View full book text
Previous | Next

Page 206
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો -૧ ૧૯૩ 690 " 66 શ્રી સમયસાર ગાથા-૨૦૪ પ્રવચન ક્રમાંક: ૨૮૩ દિનાંક: ૧૩-૮-૭૯ S ? 05 -0. સમયસાર, બસો ચાર ગાથા ફરીને થોડું! આ આત્મા વાસ્તવમાં (અર્થાત્ ) ખરેખર પરમ પદાર્થ છે. અને તે આત્મા જ્ઞાન છે” આત્મા પરમપદાર્થ છે. જ્ઞાન સ્વરૂપ છે. “અને આત્મા એક જ પદાર્થ છે” આત્મા એક જ પદાર્થ છે. એટલે જ્ઞાન એક જ પદાર્થ છે. આત્મા એકસ્વરૂપ છે તો જ્ઞાન પણ એક સ્વરૂપ છે. તેથી જ્ઞાન પણ એક જ પદ છે. આત્મા એક સ્વરૂપ છે તો જ્ઞાન પણ એક સ્વરૂપ છે. કેમકે આત્મા જ્ઞાન છે. “જે આ જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થ સ્વરૂપ સાક્ષાત્ મોક્ષ-ઉપાય છે.” જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા, એના તરફની દષ્ટિ-એકાગ્રતા એ મોક્ષનો ઉપાય છે. આહા! પરમાર્થ સ્વરૂપ સાક્ષાત્ – મોક્ષ – ઉપાય છે.' અવિનાશી તો આંહી ભગવાન છે! આહાહા! એના નાશવાન (દેહ) ઉપર તો લક્ષ કરવાનું નથી, પણ રાગને પર્યાય ઉપર પણ લક્ષ કરવા જેવું નથી. આહા! એ આત્મા પદાર્થ જ્ઞાનસ્વભાવી (છે) એટલે આત્મા એક છે તે જ્ઞાન પણ એક જ સ્વરૂપ છે. અરે....ભગવાન તું કોણ છે? એને જો ને... આહાહા ! એવી દશાઓ (મરણની) અનંતવાર થઈ. હવે તારે તારું કલ્યાણ કરવું હોય, આવા અવસરમાં તો ભગવાન આત્મા એક સ્વરૂપે છે તો એનું જ્ઞાન પણ એકસ્વરૂપ છે આહા.. હા ! એ મોક્ષનો ઉપાય છે. અંદર એકસ્વરૂપ જ્ઞાન છે એ તરફનું અવલંબન લેવું એ મોક્ષનો ઉપાય છે... જનમ-મરણથી રહિત થવાનો ભાવ એ એક જ છે ભાઈ ! આહા...! “અહીં, મતિજ્ઞાન આદિ' ભેદજ્ઞાનથી પર્યાયમાં મતિ, શ્રુત, અવધિ ( જ્ઞાનમાં) ભેદો આ એક પદને ભેદતા નથી” ખરેખર તો જ્ઞાનની નિર્મળ પર્યાય, અનેકપણે સ્વભાવના આશ્રયે ઉત્પન્ન થાય છે એ એકપણાની પુષ્ટિ કરે છે. ભેદ ઉપર લક્ષ ન હો અને જ્ઞાનસ્વભાવ ઉપર નજર હો તો જ્ઞાનની શુદ્ધિની પર્યાય ભલે મતિ, શ્રુત, અવધિના ભેદ હો પણ ઈ એકપણાને અભિનંદે છે. આહા..હા જે જે જ્ઞાનની નિર્મળ થાય તે તે નિર્મળદશા આની પુષ્ટિ કરે છે. આહા.! સમજાણું કાંઈ...? નિર્જરા અધિકાર છે ને ! આહા..! એ ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપ તો ત્રિકાળ છે. એના અવલંબનથી શુદ્ધતાની સંવર-નિર્જરાની પર્યાય શુદ્ધ પ્રગટી છે એ પૂરણ શુદ્ધિનું કારણ છે. પૂરણ શુદ્ધિ એટલે મોક્ષ. પણ... અહીંયાં કહે છે કે પર્યાયમાં અનેકપણારૂપ જ્ઞાન થાય છે ને...! એ અનેકપણું ઉત્પન્ન થાય, પણ ઈ એકપણાને અભિનંદે છે. સ્વભાવની પુષ્ટિ કરે છે. આહા.... હા! ઝીણી વાતું બહુ ભાઈ.... એ ચૈતન્ય ભગવાન આત્મા એક પદરૂપે – એકસ્વરૂપે હોવા છતાં, તેનો આશ્રય લઈને નિર્મળ પર્યાયો અનેક પ્રગટ થાય છતાં એ અનેક પર્યાય, એકપણાને અભિનંદે ને પુષ્ટિ આપે છે. સમજાય છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238