________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૧૬૧ દ્રવ્યનું સ્વરૂપ છે એ પર્યાયનું સ્વરૂપ છે એમ કીધું છે. આહા.. હા! કેવી અપેક્ષા વીતરાગમાર્ગની!
એ. ભાઈ ? સમજાય છે કે નહીં “આ” , ત્યાં તમારે કાંઈ સમજાય એવું નથી એય લીટી ત્યાં... (શ્રોતા ) સમજવા તો આવ્યા છે! (ઉત્તર) વાત સાચી છે.
આહા.. હા! દ્રવ્યનો આત્મા એટલે દ્રવ્યનો ભાવ એમ. દ્રવ્યનું સ્વરૂપ, સત્ત્વ-બેયનો, આત્મા અને પર્યાયનો ભાવ! એનું સ્વરૂપ-સત્ત્વ! આંહી... રાગના દ્રવ્ય-સત્ત્વ, એની હારે કોઈ સંબંધ નથી. સમજાણું કાંઈ....?
આહા... હા... હા.! ઝીણું બહુ બાપુ! વીતરાગ મારગ ! સર્વજ્ઞ પરમેશ્વર. આરે...! એને લોકાલોકનું જ્ઞાન કહેવું છે કહે છે વ્યવહાર છે. એ જ્ઞાન લોકાલોકને કોળિયો કરી ગ્યું! પ્રવચનસારમાં” તો આવે છે ને. કોતરાઈ ગયું, જ્ઞાનમાં કોતરાઈ ગયું! ખોડાઈ ગયું પ્રવચનસારમાં પહેલા ભાગમાં આવે છે ને..! આ તો સમયસાર છે. પ્રવચનસારમાં છે “એ બધા જાણે અંદરમાં જ્ઞાનમાં કેમ ન હોય!' કારણ કે એ સંબંધી જ્ઞાન થયું ને! એટલે જ્ઞાનમાં છે એમ કહેવામાં આવ્યું!
આહા. હા! “આમ દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે' દ્રવ્ય વસ્તુ છે તે પર્યાયમાં વ્યાપે-દ્રવ્ય જે વસ્તુ છે ઈ પોતાની નિર્મળ અવસ્થામાં વ્યાપે, ઈ એની અવસ્થા કહેવાય. રાગ એની પર્યાય નથી (આત્મ દ્રવ્યની ) (શ્રોતા ) એ પુદ્ગલ છે રાગ ? (ઉત્તર) પુદ્ગલ !
આહા! દ્રવ્ય-વસ્તુ પર્યાયમાં રહે-વ્યાપે છે. “અને પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય છે' કાર્ય થઈ જાય-દ્રવ્ય વડે કાર્ય થાય.
આહા... હા! પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય! આવો મારગ વીતરાગનો' . આમાં ક્યાં બીજે ક્યાં.. (આવું તત્ત્વ છે !) અનાર્ય દેશ, લંડનમાં!
(શ્રોતા ) એમાં આ સાંભળવા ય ન મળે ! (ઉત્તર) સાંભળવા ન મળે? સાચી વાત બાપા! અરે..! આવી વાત બાપા! પ્રભુ તું કોણ છો?
તારા દ્રવ્યનું ને પર્યાયનું સત્ત્વ એક છે, કહે છે. અને રાગનું ને પુદ્ગલનું સત્ત્વ (તારાથી ) ભિન્ન છે! પુદ્ગલની હારે ( એનું સત્ત્વ) ગયું! પુદ્ગલ દ્રવ્ય છે ઈ એનો આત્મા ઈ એનું સ્વરૂપ ને સત્ત્વ ! એવો જ રાગ, એનું સ્વરૂપ છે એનો આત્મા સ્વરૂપ ને સત્ત્વ!
ધીમે થી. કહેવાય છે પ્રભુ! વિચાર કરવાનો વખત મળે !
આહા.. હા ! અરે! પરમાત્માના વિરહ પડ્યા, ત્રણલોકનો નાથ ભગવાન બિરાજે છે, એની આ વાણી છે” શબ્દો તો ભગવાન પાસેથી (સાંભળીને) લાવીને “આ” વાણી (શાસ્ત્ર) બનાવી, ( અને ટીકાકાર અમૃતચંદ્રાચાર્ય) કહે છે ને! કુંદકુંદાચાર્યના પેટમાં પેસીને... આહા! ટીકા એણે કરી છે.
(કહે છે કે, “આવું વ્યાપ્યવ્યાપકપણે તસ્વરૂપમાં જ ઈ અભિન્ન સત્તા છે, પર્યાયને દ્રવ્ય! અતસ્વરૂપમાં (અર્થાત્ જેમની સત્તા-સત્ત્વ ભિન્ન છે એવા પદાર્થોમાં) ન જ હોય' –ભગવાન આત્માનું સત્ત્વ દ્રવ્યને પર્યાયનું સત્ત્વ છે.
પણ.. જે વ્યવહાર-રત્નત્રયનો રાગ, ભગવાનની સ્તુતિનો રાગ, તેનું સત્ત્વને સત્ તદ્દન ભિન્ન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com