________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૮૯
સર્વજ્ઞસ્વભાવ છે. એ સર્વજ્ઞસ્વભાવી પોતે જ છે. એ કોઈ દિ' રાગપણે અલ્પષ્ણપણે થયો જ નથી. આહા... હા... હા! તારું જે સત્વ છે. -જ્ઞાયકપણું-જ્ઞ” પણું-સર્વશપણું કોઈ દિ' અલ્પજ્ઞપણે થયું નથી. તો પછી રાગપણે તો થાય ક્યાંથી?
આહા...! “તે તો પરદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે' શુભ-અશુભ ભાવ નથી અને પ્રમત્તઅપ્રમત્ત એ બેય પર્યાય નથી, માટે ભેદ નથી, તેથી તે ભેદ પરદ્રવ્યના સંયોગજનિત છે. પરદ્રવ્યના સંયોગને લક્ષે થયેલાં છે.
(શું કીધું?) પરદ્રવ્યના સંયોગજનિત (કહ્યા એટલે) સંયોગે-પદ્રવ્ય-નિમિત્તે ઉત્પન્ન કરાવ્યાં છે, એમ નહીં. સંયોગજનિત એટલે કે સંયોગના લક્ષે ઉત્પન્ન થયેલા છે.
આહા...હા....! હવે, આવો ઉપદેશ ! યાદ શી રીતે રહે! કલાક આવું સાંભળે ને! બાપુ, તું અનંત કેવળજ્ઞાનનો ધણી છોને નાથ! ત્રણકાળ, ત્રણ લોકને જાણ નાથ! એવું તારું સ્વરૂપ ને શક્તિ પડી છે, અને આવી સાધારણ વાત તું ન જાણી શકે ? એમ ન હોય ભાઈ ! એમ ન હોય! ન સમજાય એમ ન કહે બાપુ! એ તો જ્ઞાયકપણાનો પિંડ છે ને ! એ કહે કે મને ન સમજાય, પર્યાયમાં ન સમજાય! ( એમ ન કહે. બાપુ!)
આહા ! પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે એ તો પરદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયેલા પર્યાય છે. એ અશુદ્ધતા, પર્યાયમાં-અવસ્થામાં-હાલતમાં–બદલતી હલચલ દશામાં એ અશુદ્ધતા છે. (કદી) નહીં બદલતી-સ્થિર-ધ્રુવ વસ્તુમાં તે (અશુદ્ધતા) નથી. જ્ઞાયકભાવ, નહીં હલતો નહીં ચલતો સ્થિરધ્રુવ (છે). “ઉત્પાવ્યાધ્રો વ્યયુર્જ સંત” છે ને...! ધ્રુવ છે તે હલતો-ચલતો નથી.
આહા.... હા ! એ (ધ્રુવ) ત્રિકાળી વસ્તુ છે. એની દૃષ્ટિની અપેક્ષાએ, એની દૃષ્ટિની અપેક્ષાએ અશુદ્ધપણું... એ સંયોગજનિત વિકાર છે, તે દ્રવ્યદૃષ્ટિમાં ગૌણ છે, મુખ્ય નહીં. પેટામાં રાખ! ખરું. તળેટીમાં રાખ! ( શિખર ઉપર) ચડતાં-જતાં એ તળેટી હારે નહીં આવે.
આહા....! એ દ્રવ્યદષ્ટિમાં મલિનતા તે ગૌણ છે, અભાવ છે એમ નહીં હો? મલિનતા નથી જ તો સંસારેય નથી, દુઃખે ય નથી, વિકારેય નથી ! પણ એમ નથી. (તે મલિનતા પર્યાયમાં) છે. પણ દ્રવ્યદૃષ્ટિ, વસ્તુ-જ્ઞાયકભાવ એની દૃષ્ટિની મુખ્યતાએ, એ અશુદ્ધતાને ગૌણ કરીને- “નથી એમ કહેવામાં આવ્યું છે. ગૌણ કરીને-પેટામાં રાખીને (કહ્યું) છે. ઉપર સ્વરૂપમાં જાવું છે (શિખરે પહોંચવું છે ) તળેટી હેઠ રહી ગઈ છે, પણ ઈ છે ખરી !
એમ રાગથી ભિન્ન પડીને, સ્વરૂપની દષ્ટિ કરવાથી અને તેમાં સ્થિર થવામાં પર્યાયને ગૌણ કરે ત્યારે તેમાં (દ્રવ્યમાં) દષ્ટિ સ્થિર થાય ! આહા....! છે? ગૌણ કરી, વ્યવહાર છે. બીજી ભાષાએ કહીએ તો, દ્રવ્યદૃષ્ટિની અપેક્ષાએ-વસ્તુ-જ્ઞાયક જે ત્રિકાળ છે એની દષ્ટિએ એ (પર્યાય) ની અશુદ્ધતા છે તે વ્યવહાર છે. ત્રિકાળીજ્ઞાયક ભાવ તે નિશ્ચય છે. આ ગૌણ છે ને ઓલું મુખ્ય છે. આ વ્યવહાર છે, ઓલો ત્રિકાળી નિશ્ચય છે.
અભૂતાર્થ છે “નથી' એમ કીધું છે. અ-ભૂત-પર્યાય નથી (એમ કહ્યું એ) ગૌણ કરીને. ભગવાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com