________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પ્રવચન રત્નો-૧
૧૨૩
આહા... હા! કુંભાર વ્યાપક થઈને-પ્રસરીને ઘટનું કાર્ય કરે એનો અભાવ છે એમ આત્મા વ્યાપક થઈને પ્રસરીને એ વિકારના પરિણામ કરે એનો અભાવ છે.
બહું! આવું આકરું છે!
(શ્રોતાઃ ) સ્વભાવ એનો એવો છે! (ઉત્તરઃ) સ્વભાવની વાત કીધી ને....! વસ્તુસ્વભાવ છે ને એની દૃષ્ટિ થઈ છે, સ્વભાવ છે એની દ્દષ્ટિ થઈ તો સ્વભાવના પરિણમનમાં વિકારીપરિણામ ન હોય-એ આંહી વાત લેવી છે. આમ આગળ તો કહેશે મિથ્યાત્વ ને અવ્રત ને પ્રમાદના પરિણામ જીવના છે, અને જડના જે છે બેય જુદાં પડી જાય છે. ગાથામાં છે.
આહા... હા! અહીંયાં તો.... વસ્તુનો સ્વભાવ, ચૈતન્યમૂર્તિ ભગવાન (આત્મદ્રવ્ય ) રાગના પરિણામથી ભિન્ન પ્રભુનો સ્વભાવ! એવું જ્યાં અંતર જ્ઞાન થયું તે જ્ઞાનીને રાગ તેનું વ્યાપ્ય ને આત્મા તેનો વ્યાપક નથી. કોની પેઠે? ઘટને કુંભારની પેઠે! કુંભાર વ્યાપક અને ઘટ તેનું વ્પાપ્ય–કાર્ય નથી, એમ આત્મા વ્યાપક થાય અને વિકારી પરિણામ વ્યાપ્ય એમ નથી.
આહા... હા.! આવો.... મારગ ! વસ્તુનું સ્વરૂપ આવું છે!!
( કહે છે) ‘ પુદ્દગલપરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકના અભાવને લીધે કર્તા-કર્મપણાની અસિદ્ધિ હોવાથી ' ઘટનો કર્તા કુંભાર એની અસિદ્ધિ હોવાથી, તેમ વિકારીપરિણામનો કર્તા આત્મા એની અસિદ્ધિ હોવાથી આહા... હા... હા!
૫૨માર્થે કરતો નથી, ઘટને જેમ કુંભાર ૫૨માર્થે કરતો નથી, એમ વિકારીપરિણામને આત્મા સ્વભાવથી પરમાર્થે કરતો નથી ! આહાહા... હા !
ભાષા તો સાદી છે! પણ બાપુ, ભાવ તો જે છે એ છે! ભાવ... શું થાય...?
‘પરંતુ માત્ર પુદ્દગલપરિણામના જ્ઞાનને' આહાહાહા! એટલે? જે રાગ આદિ ભક્તિ આદિ, સ્તુતિ આદિ ના વિકલ્પ જે થાય, તેના જ્ઞાનને પુદ્દગલપરિણામના જ્ઞાનને, એપણ નિમિત્તથી કથન છે. એટલે જે પરિણામ થયા, તેના જ્ઞાનને-તેનું જાણવું-તેના તે સમયે જ્ઞાનની પર્યાય, ષટ્કારકરૂપે પરિણમતી જ્ઞાનની પર્યાય ઊભી થાય છે, તે પરિણામના જ્ઞાનને આમ પરિણામના જ્ઞાનને ભાષા આમ છે પણ ખરેખર તો તે જ્ઞાનની પર્યાય પોતાથી ષટ્કારરૂપે પરિણમે છે અ જેને રાગના પરિણામનું જ્ઞાન, એવી પણ અપેક્ષા નથી. ભાઈ...!
આહા... હા ! પણ આંહી એને જે સમજાવવું છે! એટલે કહે છે ‘પુદ્દગલપરિણામના જ્ઞાનને ’ એટલે કે જે કાંઈ દયા-દાન-વ્રત-ભક્તિ-સ્તુતિનો વિકલ્પ થયો, તે કાળે અહીં જ્ઞાન પોતે પોતાના સ્વપરપ્રકાશમાં પોતાથી પોતે પરિણમે છે તે રાગના પરિણામના જ્ઞાનનું- ‘જ્ઞાનના પરિણામને કરતો આત્મા ' આહા.. હા ! છે? ‘ રાગના પરિણામના જ્ઞાનને કર્મપણે કરતો ' – એ પણ ઉપચારથી છે.
'
ભાઈ..! એમાં ( કળશટીકામાં ) કળશ છે ને...! તેમાં નાખ્યું છે. ‘જ્ઞાનની પર્યાયનો કર્તા આત્માને કર્મ જ્ઞાન, એ ઉપચારથી છે. ભેદ છે ને....? આહા...! એમાં છે ભાઈ! કળશટીકામાં છે. પરનો તો ઉપચારથીયે કર્તા નથી, રાગનો આત્મા ઉપચારથી પણ કર્તા નથી, સ્વભાવદષ્ટિએ ! પણ ‘રાગનું જે જ્ઞાન ’ કહેવામાં આવે છે, એ પણ અપેક્ષિત! સમજાવવા માટે (કહેવાય છે) ખરેખર તો એ વખતે જ્ઞાનની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com