________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૪
શ્રી પ્રવચન રત્નો-૧ પર્યાય અપરપ્રકાશકપણે સ્વત: પરિણમનસ્વભાવ છે. તેથી ષકારકપણે તે જ્ઞાનપરિણામ પરિણમે છે, તે જ્ઞાનપરિણામને “પુગલપરિણામના જ્ઞાનને ” એમ કીધું છે. સમજાણું કાંઈ...?
બહુ ગંભીર વસ્તુ છે બાપુ !
આહા... હા! “પરંતુ (માત્ર) પુદગલપરિણામના જ્ઞાનને આત્માના કર્મપણે- આત્મા તે જ્ઞાનના કર્મપણે પરિણમે છે! જ્ઞાનનું કાર્ય તે પણે પરિણમે છે! રાગનું કાર્ય તેપણે પરિણમતો નથી. આહા.... હા ! સમજાય છે?
ભાષા તો બહુ સાદી ! પણ ભાવ તો છે ઈ છે ને ભાઈ...!!
આહા. હા! આહીંતો પ્રભુની પ્રભુતાનું વર્ણન છે. પામરતા જે થાય છે ઈ પ્રભુતાનું કાર્ય નથી! એમ કીધું.
આહા...! પ્રભુત્વગુણનો ધરનાર! ભગવાન (આત્મા), અનંતગુણના પ્રભુત્વથી ભરેલો પ્રભુ! એ પોતે રાગના પરિણામને વ્યાપક થઈને – કર્તા થઈને કરે એ કેમ બને? કેમ કે એનાં દ્રવ્યમાં નથી, એનાં ગુણમાં નથી ! સમજાણું કાંઈ ?
આહા. હા! “એ પુદગલપરિણામના જ્ઞાનને' – આવી રીતે! આવી ભાષા !! ખરેખર તો જ્ઞાન જે છે એ પુદ્ગલપરિણામનું જ્ઞાન છે એમ કહેવું એ વ્યવહાર છે! એ જ્ઞાનનો પર્યાય તે કાળે ષષ્કારકપણે સ્વતંત્ર સ્વયં પરિણમે છે કે જેને પરની અપેક્ષા તો નથી પણ દ્રવ્ય-ગુણની અપેક્ષા નથી !!
અરે! આવું તત્ત્વ! એને લોકો કંઈક-કંઈ દષ્ટિએ વિપરીત, પીંખી નાખે છે પોતાની દષ્ટિએ એને..! આહા....!
આહા... હા.! કળશમાં લીધું છે હો! પછીનો કળશ આવશે ને! પોતાના જ્ઞાનના પરિણામને કરે, એ પણ ઉપચારથી છે, ભેદ છે ને....! એટલો! “પરિણામ, પરિણામને કરે છે' એ થયર્થ છે.
આહા... હા! શું કીધું ઈ ? “રાગનું જ્ઞાન' એતો નિમિત્તથી કથન છે. અને એ જ્ઞાનના પરિણામને આત્મા કરે, એ ઉપચાર (કથન) છે. બાકી જ્ઞાનપરિણામને પરિણામ પકારકરૂપે પરિણમીને કરે છે એ નિશ્ચય છે. જુઓ! પંડિતજી? સમજમું આતા હૈ? આહા....! શું વાત છે! ભાષા તો સાદી છે! ભગવાન, તારી મહત્તાની શી વાતું !!
આહા... હા! પ્રભુત્ત્વગુણથી ભરેલો ભગવાન! એ પામર (એવા) રાગના પરિણામમાં કેમ વ્યાપે? આવું તત્ત્વ !! એ રાગના પરિણામનું જ્ઞાન તે આત્માનું કાર્ય એ પણ ભેદથી કથન છે.
પરિણામે પરિણામનો કર્તા-કાર્ય-પરિણામ કારણ ને પરિણામ કાર્ય, એ નિશ્ચય !! કર્તા કહો, કારણ કહો ( એકાર્થ છે)
(શ્રોતા ) તો જ સ્વતંત્રતા રહે ને! (ઉત્તર) સ્વતંત્રતા જ છે. દરેક સમયનો પર્યાય, સત્ છે તેને હેતું ન હોય ! આહા... હા! “છે' એને હેતુ શું? “છે' ઈ પોતાથી “છે' ને પરથી છે એમ કહેવું? એ રાગ થયો એનું જે જ્ઞાન થયું એમ કહેવું ઈ વ્યવહાર છે, અને ઈ જ્ઞાનના પરિણામને આત્મા કરે છે એમ કહેવું ઈ વ્યવહાર છે! આહાહાહાહા! (શ્રોતા ) રાગનું જ્ઞાન થયું એ પણ વ્યવહાર છે? (ઉત્તર) આંહીયાં જ્ઞાનના પરિણામને આત્મા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com