________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પ્રવચન રત્નો-૧
OID...u
પ્રવચનક્રમાંક-૨૫
0000000000
000000000
ADITY
દિનાંકઃ ૪-૭-૭૮
૧૦૩
(સમયસાર ગાથા–૬) એનો ભાવાર્થનો બીજો પેરેગ્રાફ (છે).
( કહે છે) ‘ અહીં એમ જાણવું કે જિનમતનું કથન સ્યાદ્વાદરૂપ છે' –આત્મા છે, તે જ્ઞાયકભાવ ત્રિકાળ છે. એટલે કે ગુણસ્થાનના જે ભેદ છે- એ શુભ, અશુભ-પુણ્ય, પાપના ભેદ, એમાં છે નહીં, પર્યાયમાં છે.
આહા...! વસ્તુ જે છે જ્ઞાયકરસ! ચૈતન્યરસ! અસ્તિ-મૌજુદગી ચીજ! વસ્તુ-વસ્તુ મૌજુદગી ચીજ!! એ આત્મા ધ્રુવ છે. એ જ સમ્યગ્દર્શનનો વિષય છે, ધરમની પહેલી સીડી પ્રાપ્ત કરવા માટે એ જ્ઞાયકરસ! ચૈતન્યરસ (આત્મદ્રવ્ય ) જે પરિણમન-પર્યાય વિનાની ચીજ!! હલચલ નથી એમાં! (એ જ સમયગ્દર્શનનો વિષય-ધ્યેય છે).
ઝીણી વાત છે ભાઈ...!
પર્યાય છે ઈ હલચલસ્વરૂપ, બદલે છે ને...! વસ્તુ ધ્રુવ છે, એ તો હલચલ વિનાની ધ્રુવ, એકરૂપ ત્રિકાળ છે. શુદ્ધ સત્તા સ્વરૂપ, એમાં પર્યાયના ભેદ પણ નથી. એ સમ્યગ્દર્શનનો વિષય છે.
આહા.. હા! ધરમની પહેલી સીડી! સમ્યગ્દર્શન પર્યાય છે, એનો વિષય- ધ્યેય, ત્રિકાળી જ્ઞાયકભાવ જ છે. એ જ સમયગ્દર્શનનો વિષય છે. એ અપેક્ષાથી ( એને ) અશુદ્ધ દ્રવ્યાર્થિક કહો, પર્યાય કહો કે વ્યવહાર કો- એ ત્રિકાળી ચીજમાં ( આત્મદ્રવ્યમાં ) નથી.
(શ્રોતાઃ ) એ શુભાશુભ બધું પર્યાયમાં છે? (ઉત્તર:) પર્યાયમાં છે. (આત્મ ) વસ્તુમાં નથી, વસ્તુ તો ત્રિકાળી એક, સદશ, ચૈતન્યધન, ચૈતન્યના પ્રકાશનું પૂર... એનું નૂર છે! આહા.. હા! અસ્તિ છે ને...! અસ્તિ છે. ને અસ્તિ!! ‘ છે’ −છે ને...! મૌજુદગી છે. કાયમી–મૌજુદગીમાં શું આવ્યું ?
કાયમી~મૌજુદગી તો જ્ઞાન-આનંદ આદિનો રસ! ધ્રુવ એકરૂપ ત્રિકાળ (સદશ ચીજ આત્મતત્ત્વ ) આદિ-અંત વિનાની ચીજ! (જેની ) શરૂઆત નહીં, અંત નહીં. એટલે કાયમ–ધ્રુવપણે બિરાજમાન પ્રભુ!! આહા.. હા ! એ ચીજને સત્ કહીને, પર્યાયને અસત્ કીધી અથવા પર્યાયમાં રાગપણે ધ્રુવ પરિણમતો નથી, એમ કહ્યું ! એમ કેમ કહ્યું છે? કે, જ્ઞાયકભાવ જે ધ્રુવ છે એ પુણ્ય ને પાપ (જે) અચેતન ભાવ છે જે દયા-દાન-વ્રત-ભક્તિ આદિના વિકલ્પ છે એ તો અચેતન છે અચેતનનો અર્થ: કે જે જ્ઞાયકરસ ચિદાનંદ છે તે તેમાં આવતો નથી, તેમજ જ્ઞાયકનું કિરણ (જ્ઞાનકિરણ ) જે છે તે-પણ પુણ્ય-પાપના ભાવમાં આવતું નથી. તે કારણે પુણ્ય-પાપના ભાવને અચેતન ને જડ કહેવામાં આવ્યા છે. આ શરીર જડ છે એમાં તો રસ, ગંધ, રંગ, સ્પર્શ છે અને પુણ્ય-પાપના ભાવ છે જે દયા-દાન-વ્રત-ભક્તિ-કામ-ક્રોધ ( આદિભાવ ) એમાં રંગ, ગંધ આદિ (જડનાગુણ) નહીં, પણ તેમાં ચૈતન્યના પ્રકાશનું કિરણ નથી એ અપેક્ષાથી પુણ્ય-પાપના ભાવને જડ ને અચેતન કહેવામાં આવ્યા છે. સમજાણું કાંઈ...?
આહા... હા ! તો કહે છે કે અચેતનને જડ કહીને એનો નિષેધ કર્યો કે એ વસ્તુમાં છે નહીં. એ (ભાવ ) જ્ઞાયકમાં છે નહીં. તો ઈ પર્યાયમાં છે કે નહીં? પર્યાયમાં છે. એ નિર્ણય કરનારી તો પર્યાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com