________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૯૧
તાTTI
પ્રવચન ક્રમાંક - ૨૪
દિનાંકઃ ૩-૭-૭૮
S
=
==
=
આહા.. હા ! “અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી આવે છે. ભાવાર્થ છે, શું કહે છે? જુઓ ! જે આ આત્મા છે ને! આત્મા વસ્તુ, તે તો શુદ્ધ ચૈતન્ય આનંદઘન છે. અતીન્દ્રિય આનંદ ને જ્ઞાનની અતીન્દ્રિયપ આનંદની મૂર્તિ છે. એની પર્યાયમાં-અવસ્થામાં-હાલતમાં-વર્તમાન દશામાં અશુદ્ધતા પદ્રવ્યના સંયોગથી આવે છે.
એ અશુદ્ધતા નામ પર્યાયના ભેદ, પરદ્રવ્યના સંયોગથી એની (પર્યાય) ની પોતાની યોગ્યતાથી થાય છે. એ અશુદ્ધતા- વિકાર અથવા પુણ્ય-પાપના ભાવ, પોતાની ચીજ જે દ્રવ્ય છે એની પર્યાયમાં મલિનતા, પરદ્રવ્યના સંયોગથી આવે છે. એ અશુદ્ધતા પરદ્રવ્યને લઈને થતી નથી, પણ અન્યદ્રવ્ય નિમિત્ત (તરીકે) હોય છે.
કહે છે? વસ્તુ છે સચ્ચિદાનંદ-જ્ઞાનનંદ ધ્રુવ વસ્તુ આત્મા, નિત્ય ધ્રુવ વસ્તુ! એ કાંઈ પુણપાપના મેલને અન્યદ્રવ્યોથી અશુદ્ધ થતો નથી. સમજાણું કાંઈ..? બાપુ, ધરમ શું ચીજ છે! સુક્ષ્મ ધણું છે!!
આહા. એ જ્ઞાયકદ્રવ્ય જે વસ્તુ છે, વસ્તુ આત્મા! જ્ઞાનસ્વરૂપ, જ્ઞાયકભાવ, એ અન્યદ્રવ્યોના ભાવ જે ભેદ, પુણ્ય-પાપ એ રૂપે કદી થતો નથી. સમજાણું...? માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. પર-કર્મનું નિમિત્ત, એના સંબંધે, આત્માની અવસ્થામાં પર્યાયમાં-હાલતમાં મલિનતા થઈ જાય છે, વસ્તુમાં મલિનતા નથી. વસ્તુ તો ત્રિકાળ નિર્મળાનંદ છે.
આહા.. હા! “દ્રવ્યદૃષ્ટિથી દ્રવ્ય તો જે છે તે જ છે' – વસ્તુ જે છે વસ્તુ!! સચ્ચિદાનંદ પ્રભુ! શુદ્ધ અખંડ આત્મદ્રવ્ય, એ તો જે છે તે જ છે. એમાં કંઈપણ ફેરફાર થતો નથી. પર્યાયમાં ફેરફાર (દેખાય છે) ઈ સંયોગજનિત મલિનતા એ વસ્તુમાં છે નહીં. દશામાં, પર્યાયમાં ભેદ છે, વસ્તુમાં ભેદ નથી. વસ્તુ આ ને પર્યાય (આ) ! (શ્રોતા ) એ મલિનતા થાય છે તે પર્યાયમાં જ છે? (ઉત્તર) મલિનતા પર્યાયમાં છે, વસ્તુમાં નહીં. વસ્તુ તો એકરૂપ દ્રવ્ય છે આહા..! વસ્તુ તો છે તે, તે જ છે.
આહા..પર્યાયમાં-અવસ્થામાં મલિનતા છે તો મલિનતા ચાલી જાય છે, વસ્તુમાં મલિનતા હોય તો, વસ્તુ (દ્રવ્ય) ચાલ્યું જાય (નાશ) થાય. વસ્તુ અશુદ્ધ થઈ જાય? થાય તો, મલિનતાનો નાશ કરવાનું આવે તો તો એ વસ્તુ જ નાશ થઈ જાય. ઝીણી વાત છે ભાઈ ! તત્ત્વ ઝીણું !!
આહા... હા..! “દ્રવ્યદૃષ્ટિથી દ્રવ્ય નામ વસ્તુ! ત્રિકાળ શુદ્ધ દષ્ટિથી દેખો, તો દ્રવ્ય જે છે તે જ છે, જે તત્ત્વ છે તે એવું ને એવું અનાદિ-અનંત છે, અને પર્યાયદષ્ટિથી.. દેખો તો મલિન જ દેખાય છે. વર્તમાન એની દશા.... એની હાલત... એની પર્યાય જુઓ તો મલિન છે, પર્યાયદષ્ટિથી દેખો તો મલિન છે. દ્રવ્યદૃષ્ટિથી દેખો તો નિર્મળ છે. આહા.. હા !
હવે, આવું સમજવું?! અહા.. મારગ અનાદિ ખ્યાલમાં નહીં (તેથી..) જન્મ-મરણ કરી કરી ચોરાશીનાં અવતાર...!
(કહે છે) એ. પર્યાયદષ્ટિથી જુઓ તો મલિન દેખાય છે–એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકભાવ માત્ર છે, જ્ઞાયકસ્વરૂપ-જાણનાર, જાણનાર, જાણનાર, જાણનાર, એવો, જ્ઞાયકસ્વભાવી જ ત્રિકાળી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com