SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧ ૯૧ તાTTI પ્રવચન ક્રમાંક - ૨૪ દિનાંકઃ ૩-૭-૭૮ S = == = આહા.. હા ! “અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી આવે છે. ભાવાર્થ છે, શું કહે છે? જુઓ ! જે આ આત્મા છે ને! આત્મા વસ્તુ, તે તો શુદ્ધ ચૈતન્ય આનંદઘન છે. અતીન્દ્રિય આનંદ ને જ્ઞાનની અતીન્દ્રિયપ આનંદની મૂર્તિ છે. એની પર્યાયમાં-અવસ્થામાં-હાલતમાં-વર્તમાન દશામાં અશુદ્ધતા પદ્રવ્યના સંયોગથી આવે છે. એ અશુદ્ધતા નામ પર્યાયના ભેદ, પરદ્રવ્યના સંયોગથી એની (પર્યાય) ની પોતાની યોગ્યતાથી થાય છે. એ અશુદ્ધતા- વિકાર અથવા પુણ્ય-પાપના ભાવ, પોતાની ચીજ જે દ્રવ્ય છે એની પર્યાયમાં મલિનતા, પરદ્રવ્યના સંયોગથી આવે છે. એ અશુદ્ધતા પરદ્રવ્યને લઈને થતી નથી, પણ અન્યદ્રવ્ય નિમિત્ત (તરીકે) હોય છે. કહે છે? વસ્તુ છે સચ્ચિદાનંદ-જ્ઞાનનંદ ધ્રુવ વસ્તુ આત્મા, નિત્ય ધ્રુવ વસ્તુ! એ કાંઈ પુણપાપના મેલને અન્યદ્રવ્યોથી અશુદ્ધ થતો નથી. સમજાણું કાંઈ..? બાપુ, ધરમ શું ચીજ છે! સુક્ષ્મ ધણું છે!! આહા. એ જ્ઞાયકદ્રવ્ય જે વસ્તુ છે, વસ્તુ આત્મા! જ્ઞાનસ્વરૂપ, જ્ઞાયકભાવ, એ અન્યદ્રવ્યોના ભાવ જે ભેદ, પુણ્ય-પાપ એ રૂપે કદી થતો નથી. સમજાણું...? માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. પર-કર્મનું નિમિત્ત, એના સંબંધે, આત્માની અવસ્થામાં પર્યાયમાં-હાલતમાં મલિનતા થઈ જાય છે, વસ્તુમાં મલિનતા નથી. વસ્તુ તો ત્રિકાળ નિર્મળાનંદ છે. આહા.. હા! “દ્રવ્યદૃષ્ટિથી દ્રવ્ય તો જે છે તે જ છે' – વસ્તુ જે છે વસ્તુ!! સચ્ચિદાનંદ પ્રભુ! શુદ્ધ અખંડ આત્મદ્રવ્ય, એ તો જે છે તે જ છે. એમાં કંઈપણ ફેરફાર થતો નથી. પર્યાયમાં ફેરફાર (દેખાય છે) ઈ સંયોગજનિત મલિનતા એ વસ્તુમાં છે નહીં. દશામાં, પર્યાયમાં ભેદ છે, વસ્તુમાં ભેદ નથી. વસ્તુ આ ને પર્યાય (આ) ! (શ્રોતા ) એ મલિનતા થાય છે તે પર્યાયમાં જ છે? (ઉત્તર) મલિનતા પર્યાયમાં છે, વસ્તુમાં નહીં. વસ્તુ તો એકરૂપ દ્રવ્ય છે આહા..! વસ્તુ તો છે તે, તે જ છે. આહા..પર્યાયમાં-અવસ્થામાં મલિનતા છે તો મલિનતા ચાલી જાય છે, વસ્તુમાં મલિનતા હોય તો, વસ્તુ (દ્રવ્ય) ચાલ્યું જાય (નાશ) થાય. વસ્તુ અશુદ્ધ થઈ જાય? થાય તો, મલિનતાનો નાશ કરવાનું આવે તો તો એ વસ્તુ જ નાશ થઈ જાય. ઝીણી વાત છે ભાઈ ! તત્ત્વ ઝીણું !! આહા... હા..! “દ્રવ્યદૃષ્ટિથી દ્રવ્ય નામ વસ્તુ! ત્રિકાળ શુદ્ધ દષ્ટિથી દેખો, તો દ્રવ્ય જે છે તે જ છે, જે તત્ત્વ છે તે એવું ને એવું અનાદિ-અનંત છે, અને પર્યાયદષ્ટિથી.. દેખો તો મલિન જ દેખાય છે. વર્તમાન એની દશા.... એની હાલત... એની પર્યાય જુઓ તો મલિન છે, પર્યાયદષ્ટિથી દેખો તો મલિન છે. દ્રવ્યદૃષ્ટિથી દેખો તો નિર્મળ છે. આહા.. હા ! હવે, આવું સમજવું?! અહા.. મારગ અનાદિ ખ્યાલમાં નહીં (તેથી..) જન્મ-મરણ કરી કરી ચોરાશીનાં અવતાર...! (કહે છે) એ. પર્યાયદષ્ટિથી જુઓ તો મલિન દેખાય છે–એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકભાવ માત્ર છે, જ્ઞાયકસ્વરૂપ-જાણનાર, જાણનાર, જાણનાર, જાણનાર, એવો, જ્ઞાયકસ્વભાવી જ ત્રિકાળી Please inform us of any errors on [email protected]
SR No.008293
Book TitlePravachana Ratno 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVajubhai Ajmera Vardha
Publication Year1998
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy