________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४०
શ્રી પ્રવચન રત્નો-૧ આહા...આત્મા દર્શનજ્ઞાનમાં હોવાપણે ટક્યો છે તેમાં જે એકત્વપણે, પરથી ભિન્ન થઈને એકત્વપણે દર્શનજ્ઞાનમાં સ્થિત થાય, એ જીવ તે જ સમયે દર્શનજ્ઞાનચારિત્રપણે પરિણમતો અને તે જ સમયે તેને જાણતો! સમજાણું કાંઈ..? છે ને સામે? આ તો ઓગણસમી વાર વંચાય છે.
(શ્રોતા ) બધા માટે ઓગણસમી વાર કે આપના માટે ? (ઉત્તર) તો આંહી હશે કે નહીં કેટલા' ક! કેટલાય નવા હોય! વારતહેવારે આવે છે ન હોય. આંહી રહેનારા હોય તે હોય.
આહા... હા ! “એવો તે “સ્વસમય’ એમ પ્રતીતરૂપે કરવામાં આવે છે... આહા...! ભગવાન... આત્મા! દર્શનને જ્ઞાનની દ્યાતિવાળું તત્ત્વ જેમાં વિકારની હયાતિ ત્રણકાળમાં છે નહીં. એવો જ ભગવાન સ્વભાવ! ઈ દર્શનજ્ઞાનમાં- જેવું તત્ત્વ છે તેમાં એકત્વપણે એટલે રાગનો સાથ લઈને નહીં, રાગથી ભિન્ન પડીને એકત્વપણે આહાહા ! ત્યાં આ રાગનું એકલાપણું લઈને અહીંયાં રાગમંદ છે તેને લઈને અહીંયાં એકત્ર થાય છે, એમ નથી. તો તો બેકલાપણું/બેપણું થઈ ગયું.
આહા... હા! આંહી તો રાગના વિકલ્પની ગમે તેવી વૃત્તિ હોય-દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાની વૃત્તિ હો, કે શાસ્ત્રના જ્ઞાનનો વિકલ્પ હો, એ બધાંથી ભિન્નપણે એમ છે ને ? એકત્વપૂર્વક જાણતો યુગ૫૬ પરિણમતો દર્શનશાનચારિત્રરૂપે અને તે સમયે તેને જાણતો-સ્વરૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે “સ્વસમય” એમ પ્રતીત કરવામાં આવે છે. એમ શ્રદ્ધામાં લેવામાં આવે છે, એ વસ્તુ પોતે દર્શનજ્ઞાનવસ્તુ એમાં એકત્ર થઈને શ્રદ્ધાજ્ઞાનને ચારિત્રમાં સ્થિત થાય એને “સમય” એમ પ્રતીત કરવામાં આવે છે. એવો આત્મા ઈ સ્વસમય થયો- જેવો હતો તેવો થયો. દર્શનજ્ઞાનપણે હતો એવી જ પર્યાયમાં દર્શનજ્ઞાનની પ્રતીતી દર્શનજ્ઞાનનું જ્ઞાન દર્શનજ્ઞાનમાં સ્થિરતા.
આહા... હા! “યુગ૫૬ સ્વને એકત્વપૂર્વક જાણતો તથા સ્વ-રૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે “સમય” એમ પ્રતીકરૂપ કરવામાં આવે છે... પાઠમાં છે ને ઈ “સમયે ના” પાઠ એમ છે ને..! “સમય ગાળ' એમ કીધું ને..! કુંદકુંદાચાર્યનો શબ્દાર્થ અહીં લીધો છે તેને સ્વસમય જાણ!
આવો સ્વરૂપ તે ભગવાન, એમાં જે એકત્વપણે દર્શનશાનચારિત્રમાં, પરના સાથ અને મદદ વિના, સ્વરૂપમાં દર્શનશાનચારિત્રમાં, પોતાના અસ્તિત્વમાં-દર્શનશાનચારિત્રમાં વર્તે તેને તું અસમય જાણ એનો આંહી અર્થ કર્યો કે “એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે” એ આત્મા આવો છે એ સ્વસમય એમ જાણવામાં પ્રતીતરૂપ કરવામાં આવે છે”
આહા... હા! હવે આવું! ક્યાં પહોંચવું એને! વ્યવહારની વાતું આખો દિ' કરે! વ્યવહાર.... વ્યવહાર! (સાધકદશામાં) વ્યવહાર વચ્ચે આવે !
પણ ઈ વ્યવહાર પણ જેને નિશ્ચયની ભાવના છે, વ્યવહાર નિશ્ચયમાં પહોંચાડે એમ. પણ ભાવના શું એનો અર્થ ? આહા...! ઝીણી વાતું બહુ ભાઈ....!
ભૂમિકાને યોગ્ય વિકાર આવે છે, હોય તો ખરું ને.. ન હોય એમ નહીં. પણ નિશ્ચયને પહોંચાડે છે ઈ ? એકત્વપણે હોય ઈ પહોંચાડે છે. બેકલાપણું હારે લઈને ઈ પહોંચાડે છે? આહા..! વ્યવહાર આવે છે વચ્ચે ઈ બંધનું કારણ છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, પંચમહાવ્રતદશા આદિનો ભાવ, શાસ્ત્રનું શાસ્ત્રતરફનો ભણવાનો વિકલ્પ એ બધો આવે! પણ છે ઈ બંધનું કારણ, બંધના કારણને હારે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com