________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પ્રવચન રત્નો-૧
દર
(કે) એનો સ્વીકાર-એનો સત્કાર એટલે કે એનો આશ્રય.
(કહે છે) ‘એ ભિન્નપણે ઉપાસવામાં આવતો ‘શુદ્ધ કહેવાય છે'. (એટલે ) એ રાગને પર્યાયનું લક્ષ છોડી, એની સેવા ક૨ના૨ (અર્થાત્ ) સ્વરૂપનું લક્ષ થતાં તેની પર્યાયમાં શુદ્ધતા જે થાય, એ શુદ્ધતા ઈ દ્રવ્યની સેવા-શુદ્ધતા એ (શુદ્ધ) દ્રવ્યનો સ્વીકાર કર્યો છે. એ શુદ્ધતાની પર્યાય, શુદ્ધદ્રવ્યનો સ્વીકાર કર્યો એથી શુદ્ધની પર્યાયમાં શુદ્ધ જણાયો, એને શુદ્ધ કહેવામાં આવે છે. આહા.. હા..! ગંભીર ભાષા છે ભાઈ!
આ તો- આ તો ઓગણીસમી વાર વંચાય છે. સમયસાર!! પહેલેથી છેલ્લે સુધી કોઈ વાર દોઢ વરસ, કોઈ વાર બે વરસ, કોઈ વાર અઢી વરસ, એમ અઢાર વાર ચાલ્યું છે. આ ઓગણીસમી
વાર છે. આહા.. હા..! ગજબ વાત છે.
વીતરાગ ત્રણલોકના નાથ! એની વાણી, એ સંતો આડતીયા થઈને જાહેર કરે છે. પ્રભુ! તું કોણ છો ? તને ક્યારે ખબર પડે? તું છો જ્ઞાયક! જેમાં શુભાશુભ ભાવ છે જ નહી તેથી એમાં પર્યાયભેદ છે નહી. પણ.., એની ક્યારે તને ખબર પડે? ‘છે તો છે શુદ્ધ' .
તું... જ્યારે પરનું લક્ષ છોડી દઈ અને સ્વદ્રવ્યને ધ્યેય બનાવી અને ધ્યેયનો પર્યાયમાં સત્કા૨ થયો, ઉપાસના થઈ, શુદ્ધતા પ્રગટી એ સમ્યગ્દર્શન જ્ઞાનની પર્યાયમાં ‘આ શુદ્ધ છે’ એમ જણાય છે. સમજાણું કાંઈ...? આવી વાત છે!! કઠણ વાત છે બાપુ!! વીતરાગ મારગ મળ્યો નથી લોકોને ભાઈ..! લોકો બહારની પ્રવૃત્તિમાં-રાગમાર્ગ-સંસાર માર્ગ છે એમાં રચ્યા-પચ્યા છે, અત્યારે તો પૂજા, ભક્તિ, વ્રત ને તપ, અપવાસ એ બધો રાગમાર્ગ છે અન્ય માર્ગ છે એ જૈનમાર્ગ નહીં !
આહા.. હા..! આંહી પ્રભુ એમ કહે છે, તારી પ્રભુતા જેમ છે તેમ તે પૂછ્યું' તું! અને તેનું ‘સ્વરૂપ ’ જાણવું જોઈએ તે તેં પૂછ્યું તો એનો ઉત્તર આ છે કે પરદ્રવ્ય ઉપરનું બિલકુલ લક્ષ-પદ્રવ્ય ઉપરનું સંપૂર્ણ લક્ષ છોડી દઈ એ ‘જ્ઞાયકભાવ' –શુદ્ધભાવ ૫૨ લક્ષ જતાં, જે પર્યાયમાં શુદ્ધતા થાય, સમ્યગ્દર્શન થાય, તે જીવને શુદ્ધ કહેવામાં આવે છે. પર્યાયની શુદ્ધતાનું ભાન થયું-સમ્યગ્દર્શન થયું, એ અંતરમાં લક્ષને લઈને અંતરનો આશ્રય લઈને-અંતરમાં સત્કાર ને સ્વીકાર શ્રદ્ધાને સ્વભાવમાં ભગવાનને લઈને, ત્યારે તે જીવને ‘આ શુદ્ધ છે’ એમ કહેવામાં આવે છે. આકરી વાત છે બાપા! શું થાય !
આ અનંતકાળ વયો ગયો, જૈનમાં અનંતવા૨ જન્મ્યો! ભગવાનના સમવસરણમાં પણ અનંતવા૨ ગયો, પણ આંહી આને જ્યાં જાવું છે ત્યાં ન ગયો, અને એની રીત શું છે? એની પણ ખબર ન પડી! આહા.. હા..! એક લીટીમાં આવો ‘ભાવ' ભર્યો છે!! ઈ તો પાર પડે એવું નથી બાપા ! એ ભગવાનની વાણી ને એનાં ભાવ વાણીમાં પાર આવે ? ઈ અંતરમાં ભાસે એ ભાષામાં આવે નહી, ભાસે એટલું ભાષણમાં નો આવે!! આહા..! સાક્ષાત્ આવી વાણી પડી છે જીવંત! ( એ વાણીમાં આવ્યું છે કે) એ (જ્ઞાયકભાવ) પુણ્ય-પાપ પણે થયો નથી. એટલે પુણ્ય-પાપનાં થનારાં, એના કારણ એવાં એ શુભાશુભ ભાવ એ પણે પ્રભુ! જ્ઞાયકભાવ થયો જ નથી. તેથી તે પ્રમત્ત-અપ્રમત્ત પર્યાય, એને લઈને નથી. પર્યાયભેદ તેમાં નથી. આહા...! ચૌદગુણ સ્થાનના ભેદો પણ આમાં નથી. અભેદ ભગવાન જ્ઞાયક શુદ્ધ, એકરૂપ, ભગવાન પ્રભુ છે.
એવો
(પ્રશ્નઃ) કોને શુદ્ધ કહેવાય ? કોને શુદ્ધ છે? (ઉત્ત૨:) કે જેણે શુદ્ધ (આત્મદ્રવ્ય ) તરફનો સત્કાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com