________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પ્રવચન રત્નો-૧ (કહે છે કે, “જ્ઞયાકાર થવાથી” એ હવે શું? કે જરી સૂક્ષ્મ લઈએ. જે રાગ થાય છે ને સમકિતીને-જ્ઞાનીને! રાગ થાય, તો રાગ જેવું જ્ઞયાકાર (જ્ઞાન) થાય! રાગના જેવી આંહી જ્ઞાનની પર્યાય થાય, પણ એથી જ્ઞાનની પર્યાય રાગને લઈને થઈ છે, એમ નથી. આહા.. હા ! એ જ્ઞાનની પર્યાય જ તે આકારે પરિણમીને સ્વયં-સ્વતંત્ર પોતાથી થઈ છે. આહા... હા.! ધર્મી જીવને આત્મજ્ઞાન થયું છે એને હજી રાગ આવે, તો રાગ આકારે આંહી જ્ઞાન થાય, પર્યાયમાં જેવો રાગ છે, તેવું (જ) જ્ઞાન થાય-પણ, તેથી તે જ્ઞાન-આકાર, શૈયાકાર થયું માટે પરાધીન છે, એમ નથી. એ જ્ઞાનાકાર, રાગનું જ્ઞાન થઈને, જ્ઞાનાકાર જ્ઞાન પોતે પોતાથી જ પરિણમ્યું છે. એ જ્ઞય-રાગને લઈને નહીં. અહી.. હા. હા !
કોને “આ” પડી છે!! આખી દુનિયા, બાવીસ કલાક, ત્રેવીસ કલાક બાયડી-છોકરાં-ધંધા! પાપ એકલાં પાપ !! કલાક વખત મળે સાંભળવા જાય ત્યારે, ત્યાં બધું ઊંધું મારે બધું ! આનો કલાક લૂંટી લ્ય! તમને આમ ધરમ થાશે ને... તમને આમ થાશે. તમને આનાથી થાશે ને..! આહા.. હા.! અરે.. રે! જિંદગિયું ચાલી જાય છે!
પરમાત્માનો પોકાર છે પ્રભુ ! તેં તારા સ્વભાવનો, સ્વીકાર કરી શુદ્ધતા જાણી, હવે એ શુદ્ધતા જે પર્યાયમાં આવી થઈ, એ જ્ઞાની તેનામાં હજી રાગ થાય છે એ રાગનું જ્ઞાન આહીં થાય છે. એ તે રાગ જેવો છે તેવું જ્ઞાન આંહી થાય, માટે યકૃત અશુદ્ધતા આંહી થઈ–જ્ઞાન એ આકારે થયું માટે યકૃત અશુદ્ધતા થઈ જ નથી.
એ જ્ઞાનનો સ્વભાવ જ એવો છે, તે પ્રકારે રાગસંબંધીનું જ્ઞાન, પોતાનું, પોતાથી થયેલું છે એવી એની (જ્ઞાનની) સ્વાધીનતા છે. આહા.. હા..! મારગ વીતરાગનો ઝીણો બાપુ! અરે, અત્યારે તો ક્યાંય મળતો નથી ભાઈ ! શું કહીએ..! સાંભળવા મળતો નથી પ્રયોગ કરે તો ક્યાંથી ?
આહા.... હા! શું કહે છે? કે સમ્યગ્દષ્ટિને, પોતાની પર્યાયમાં, શુદ્ધત્રિકાળ (દ્રવ્ય) છે, એવું જણાણું, એથી એને શુદ્ધ કહીએ. હવે, આ બાજુમાં-આ બાજુમાં જતાં શુદ્ધની પર્યાય પ્રગટી એમાં શુદ્ધ જણાણો, માટે એને શુદ્ધ કહીએ. હવે, આ બાજુમાં બાકી રાગ છે, રાગ આદિ જણાય છે, તે છે. એ રાગ જણાય છે માટે તે “રાગનો જાણનારો છે તેનું જ્ઞાન છે?” તો, કહે ના.
એ રાગસંબંધીનું જ્ઞાન, રાગ આકારે થયું ઈજ્ઞાન, પોતાને આકારે (જ્ઞાનાકાર) થયું છે. એ રાગને કારણે થયું નથી, એનો ( જ્ઞાનપર્યાયના) સ્વપરપ્રકાશક સ્વભાવને કારણે એ પરપ્રકાશપણે જ્ઞાન થયું છે. સમજાણું કાંઈ ? ભાષા સમજાય છે ને..! આવો મારગ છે ભાઈ....! શું કહીએ !!
આહા... હા! અહીં તો સમકિતીને-જ્ઞાનીને આત્માનું જ્ઞાન થયું કે (આત્મા) ત્રિકાળ શુદ્ધ છે. એવું પર્યાયમાં જ્ઞાન થયું, એથી એને શુદ્ધ કહેવામાં આવે છે. હવે, એની પર્યાયમાં રાગ થાય છે અને એની પર્યાયમાં આ શરીર, આ મકાન આદિ (પરચીજ) જણાય છે. તો તેમનું જ્ઞાન, જેવું જ્ઞય છે તે આકારે આંહી જ્ઞાન થાય છે, તેથી તે જ્ઞાનની પર્યાય શેયને (આકારે જણાય તો) જ્ઞયને કારણે તેને પરાધીનતા-અશુદ્ધતા છે? તો કહે, ના. (કારણ) એ યકૃતથી (જ્ઞાન) થયું નથી, એ જ્ઞાનનો પોતાનો સ્વભાવ જ પરપ્રકાશનો તે પ્રકારનો છે તે પ્રકારથી તે રીતે થયું છે!! ગહન વિષય છે બાપુ ! અરે! આ સત્ય હાથમાં ન આવે તો મરી જવાના છે બિચારા! ચોરાશીના અવતારમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com