________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨
લક્ષે, થયા વિના રહે નહીં. અને તે શ્રુતકેવળી એટલે સમકિતી. -શ્રુતકેવળી એટલે બાર અંગ ને ચૌદ પૂર્વના વિશેષ જ્ઞાનવાળો એનું કાંઈ નહીં-એ શ્રુતકેવળી થાય, અને પછી કેવળી થશે! આહા.. હા.. હા ! ગજબ વાત છે ને..!!
શ્રી પ્રવચન રત્નો-૧
લ્યો! આ સિદ્ધાંત કહેવાય, એક-એક શ્લોકનો પાર આવે નહીં, એની ગંભીરતા! સંતોની ! દિગંબર મુનિઓ !! એની વાણી! એ વાણીમાં ગંભીરતા ન ઊંડપનો.. પાર ન મળે!!
એ અહીંયાં કહે છે, કે જ્યારે આત્માને અમે ‘જ્ઞાયક’ કહ્યો અને શાયકપણે ’ ‘ શાયક’ જણાયો, તો ‘ જાણનારને તો જાણ્યો ’ પણ ‘ જાણનાર ’ છે એમ કહેવાય છે તો ૫૨ને પણ જાણે છે એમ થયું ! .. કે ૫૨ને જાણે છે ભલે એમ કહ્યું; પણ ખરેખર તો ૫૨ છે એને જાણે છે, એમ નથી.
૫૨-રાગાદિ છે, તેને ( જાણનારો ) જાણે છે, એ રાગને લઈને જાણે છે એમ નથી! પણ ઈ જ્ઞાનની પર્યાયનું સ્વ-૫૨પ્રકાશક સામર્થ્ય જ એવું છે પોતે, પોતાને જાણે છે, જ્ઞાયક ભાવપર્યાયની વાત છે હો ! દ્રવ્યને તો જાણે છે. આહા.. હા ! ગજબ વાત છે!! વસ્તુસ્વરૂપચિદાનંદપ્રભુ ! ‘ જ્ઞાયકપણે તે જણાયો ' લક્ષમાં આવ્યો, દૃષ્ટિમાં આવ્યો. પણ એને ‘જાણનારો ' કહીએ છીએ તે સ્વ-૫૨પ્રકાશક, તો ૫૨નો ‘જાણનારો ’ એમ આવ્યું ? કે સ્વને જાણ્યો અને ૫૨નું જાણવું પણ એમાં આવ્યું?! ત્યારે કહે છે ‘૫૨નું જાણવું એમાં નથી આવ્યું ' ૫૨સંબંધીનું જ્ઞાન પોતાનું પોતાથી ( પોતાને ) થયું છે. તે આકારે તે ‘શાયકનું જ્ઞાન ’ જ્ઞાનના પર્યાયે, જ્ઞાનને જાણ્યું, એ જાણવાના પર્યાયને એણે જાણ્યો. ( અર્થાત્ ૫૨-રાગને એણે જાણ્યો નથી ) આહા.. હા! સમજાણું કાંઈ...? આકરું કામ બહુ બાપુ! મારગ એવો છે વીતરાગ સર્વજ્ઞનો ! સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી;
,
અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય સ્હાશે.
( શ્રીમદ્દરાજચંદ્ર )
આહા.. હા ! મુનિ મહારાજ કહે છે મારા અને તારા મોહના નાશ માટે, ઓહોહો ! ‘ કોલકરાર !’ એટલો બધો પ્રભુ! પોતાના મોહના નાશ માટે તો ભલે તમે કહો, પણ.. શ્રોતાને માટે! ૫૨ કહ્યા ને...! અનંતા સિદ્ધોને એમણે પરના પર્યાયમાં સ્થાપ્યા છે. મોહના નાશ માટે. મેં સ્થાપ્યા છે એ તો ( મુનિમહારાજે પોતે ) વાત કરી છે. આહા... હા ! એકસયમની અલ્પજ્ઞ પર્યાયમાં અનંતા સિદ્ધોને સ્થાપ્યા છે.
(સાંભળનાર શ્રોતાની ) એ પર્યાય, અંદર ઝૂકીને ( આત્મ ) દ્રવ્ય તરફ જ જાય. એટલી એ પર્યાયમાં (તાકાત) છે કે તેણે અનંત સર્વજ્ઞને રાખ્યા, એ પર્યાય, સર્વજ્ઞસ્વભાવી પ્રભુ (આત્મદ્રવ્ય ) એની ઉ૫૨ જ, એનું લક્ષ જાય. જેણે, એકસમયની પર્યાયમાં, અનંતા સર્વજ્ઞોને, સ્થાપ્યા.. રાખ્યા.. આદર્યા સત્કાર કર્યો... સ્વીકાર કર્યો અને તે એકસમયની પર્યાયમાં, અનંતા સર્વજ્ઞને જાણ્યા.. તે સમયની પર્યાયને જાણીને, એ જાણે છે ને..!
આહા.. હા! તેનો આત્મા જ્ઞાયકપણે તે જણાણો! પણ ઈ ‘જ્ઞાયક' છે એટલે કે ‘જાણનારો’ છે એમ કહ્યું, તો તેમાં ૫૨ને ‘જાણે છે' એવું જે આવે છે તો (તે તો) પરને આકારે જ્ઞાન થયું, તે પરને લઈને થયું એમ નથી. ધર્મીને પણ હજી રાગ આવે ને રાગનું જ્ઞાન થાય સ. સાર બારમી ગાથામાં કહ્યું છે ને...
Please inform us of any errors on rajesh@AtmaDharma.com