________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
વાત છે!
૫૫
(શ્રોતાઃ) ઈ જાણે છે તે આત્માની પર્યાય છે! (ઉત્ત૨:) પર્યાય, પોતાની છે, ઈ જણાણો, જેમાં ઈ પર્યાય પોતાની છે એને જાણે. આ પરને જાણે છે, એમ નથી. આહા... હા..! ઝીણી વાત છે ભાઈ! અભ્યાસ નહીં ને... ‘ આ ’, અનંતકાળનો મૂળ ચીજનો.
આહા... હા ! ‘તે જ છે’ એમ છે ને ? ‘બીજો નથી' એટલે ? એ રાગનું જ્ઞાન નથી. પરનું-જણાણું છે- જાણનારો જણાણો છે, માટે એ જાણનારો ૫૨ને જાણે- એ માટે ૫૨ને જાણવાનું જ્ઞાન છે, એમ નથી. આહા.. હા! શબ્દ, શબ્દ... ગૂઢતા છે. આ તો સમયસાર છે!! એમાં કુંદકુંદાચાર્ય ! (માંગલિક) માં ત્રીજે નંબરે આવ્યું છે ને.. મંગલમ્ ભગવાન વીરો, મંગલમ્ ગૌતમો ાળી મંગલમ્ વ વાર્યો! આહા.. હા..! પહેલા ભગવાન, બીજા ગણધર, ત્રીજા કુંદકુંદાચાર્ય! નૈન ધર્મોસ્તુ મંગલમ્ આહા.. હા..! આકરી વાતો બહુ!! પુરુષાર્થ ઘણો જોઈએ ભાઈ...!
‘વળી જે શાયકપણે જણાયો' એમ આવ્યું ને ! પર્યાય છે ઈ.
(ટીકાઃ- ) ‘જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી પોતે પોતાથી સત્તારૂપે વસ્તુ હોવાથી, કોઈથી ઉત્પન્ન થયો નહિ હોવાથી અનાદિ સત્તારૂપ છે’ એની સત્તા, પોતે પોતાથી જ હયાતિ હોવાથી, કોઈથી ઉત્પન્ન થયો નથી, તેથી ભગવાન આત્મા, અમે શુદ્ધ કહેવા માગીએ છીએ. (તે ) અનાદિ સત્તારૂપ છે- અનાદિ હોવારૂપ છે. આહા... હા..! પર્યાય તો થાય ને જાય. વસ્તુ જે છે તે તો રાગથી પૃથક તે તો અનાદિ સત્તા છે. અનાદિથી ‘હોવાવાળી ' ચીજ !! (ત્રિકાળીજ્ઞાયક) કેમ કે કોઈથી ઉત્પન્ન થયો નથી. ઈશ્વરે એને ઉત્પન્ન કર્યો છે કે ઈશ્વર કોઈ કર્તા છે આત્માનો, એમ નથી. આહા.. હા...! એ પોતે- પોતાથી જ.
6
-
‘કચિત્ પોતાથી ને કથંચિત્ ૫૨થી ' તો અનેકાંત થાય ને? ‘પોતે પોતાથી છે, પરથી નથી ’ એનું નામ અનેકાંત છે. પોતાથી સત્તા પોતાથી છે ને પોતાની સત્તા પરથી નથી. ( એ અનેકાંત ) છે. આહા... હા..! એ અનાદિ સત્તારૂપ છે.
( કહે છે કેઃ ) ‘ કદી વિનાશ પામતો નહિ હોવાથી અનંત છે' કદી વિનાશ પામતો નથી. ‘છે’ ... અનાદિ સત્તા વસ્તુ છે! છે.. છે.. છે.. ભૂતકાળમાં છે વર્તમાન કાળે છે, ભવિષ્યમાં છે. છે ઈ છે બસ !! આહા.. હા..! ‘ છે' - અનાદિ સત્તા-હોવાવાળી ચીજ (આત્મવસ્તુ ) કદી વિનાશ પામતી નથી- કોઈ કાળે નાશ પામતી નથી. ‘ કદી ’ શબ્દ છે ને..! આહા.. હા..! માટે તે અનંત છે. ભવિષ્યમાં કાયમ રહેનાર છે માટે અનંત છે. આહા..! વસ્તુનો અંત નથી કદી જેની શરૂઆત નથી, જેનો અંત નથી, એવી અનાદિ અનંત એ (આત્મ) વસ્તુ છે. આહા.. હા..! ભાષા તો સાદી છે.. પણ ભાવ તો જે છે તે આકરા છે!
(ઓ.. હો.. હો..!) ‘નિત્ય ઉઘોતરૂપ હોવાથી ' પાછું વર્તમાનકાળમાં રહેનારો હોવાથી. ‘ ક્ષણિક નથી ’ ( કાયમ) ‘છે’ ને ક્ષણિક હોય કોઈ ચીજ, એમ કોઈ કહે તો એમ નથી. ‘નિત્ય ઉદ્યોતરૂપ ’ કાયમ ઉદયરૂપ ( પ્રગટ) વર્તમાનમાં કાયમ, એવો ને એવો ધ્રુવ ! અનાદિ-અનંત ! સત્તાસ્વરૂપ વસ્તુ ! નિત્ય ઉઘોતરૂપ છે. વર્તમાનમાં પણ ઉદ્યોતરૂપ-કાયમ છે. (ત્રિકાળીજ્ઞાયક) ભૂતકાળમાં ઉત્પન્ન થયેલ નથી, ભવિષ્યમાં કદી અંત છે નહીં, વર્તમાનમાં ઉદ્યોતરૂપ પ્રગટ છે.
આહા... હા...! એ જ વસ્તુ, રાગથી ભિન્ન-સ્વભાવથી અભિન્ન, એવી ચીજ વર્તમાનમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com