________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પ્રવચન રત્નો-૧
૫૮
,
T
0
પ્રવચન ક્રમાંક - ૨૧
દિનાંક: ૩૦-૬-૭૮
TIT
I
શિષ્યનો પ્રશ્ન એમ હતો કે “શુદ્ધ આત્મા” જે તમે કહ્યો, તે છે કોણ? કેવો છે? કે જેનું સ્વરૂપ' જાણવું જોઈએ, જેને જાણવાથી હિત થાય અને અહિત ટળે. ઈ શું ચીજ છે?
કેમ કે (આપશ્રીએ તો કહ્યું) એ આત્મા અનાદિ-અનંત, નિત્ય ઉદ્યોતરૂપ, સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. એ સંસાર અવસ્થામાં પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર, એવું જે દુર કષાયચક્ર (અર્થાત્ ) શુભ-અશુભરૂપ ભાવો થાય છે, પણ એ શુભાશુભ ભાવરૂપે જ્ઞાયક થયો નથી. (એતો) એની અવસ્થામાં (પર્યાય ) માં થાય છે.
જ્ઞાયકભાવ (ક) જે વસ્તુ છે, એ શુભાશુભપણે થતી જ નથી. જો એ-પણે થાય તો... વસ્તુ છે જે જ્ઞાનરસ સ્વભાવરૂપ અને શુભાશુભ છે અચેતન-અંધારા (સ્વરૂપ) છે. એ સ્વરૂપે જો આત્મા થાય તો (આત્મા) જડ થઈ જાય! આહા.. હા..! તેથી એ જ્ઞાયકભાવ-વસ્તુ જે છે પદાર્થ, તે શુભાશુભ ભાવરૂપે નહિ થવાથી- શુભાશુભરૂપે નહિ પરિણમવાથી, એમાં પ્રમત્ત-અપ્રમત્તના પર્યાયના ભેદો નથી. આહા. હા..! મૂળ ગાથા છે! છઠ્ઠીના લેખ કર્યું છે ને..! આહ.. હા..! જ્ઞાયકવસ્તુ-ચૈતન્ય! એ એકલો જ્ઞાનરસ! આનંદ રસ ! શાંત રસ ! વીતરાગ રસ- સ્વરૂપે જ બિરાજમાન. એ રાગરૂપે કેમ થાય ? આત્મા જિનસ્વરૂપી- શાંત સ્વરૂપી- વીતરાગ સ્વરૂપી (એવો ) જે જ્ઞાયકભાવ એ રાગરૂપે કેમ થાય? આહા....!
(શ્રોતા ) રાગ તો છે ને..(ઉત્તર) પર્યાયમાં રાગ થાય, વસ્તુમાં રાગ ન થાય! અહા... હા..! ચૈતન્યપ્રકાશનો ચંદ્ર !! શીતળ.. શીતળ. શીતળ..!! એ ચૈતન્યપ્રકાશનો પૂંજ પ્રભુ!! એ અશીતળ એવા વિકાર ને આકુળતા (રૂપ) ભાવો, એ રૂપે કેમ થાય?
આહા.. હા! ભગવાન જિનચંદ્રસ્વરૂપ પ્રભુ! ચૈતન્યના રસથી ભરેલો પ્રભુ ! (અભેદજ્ઞાયક) એ અચેતન એવા શુભાશુભ પરિણામરૂપે, એ જ્ઞાયક ભાવ-ચેતનભાવ કેમ થાય?
તેથી, તે પ્રમત્ત-અપ્રમત્ત નથી. અહીં સુધી તો (ગઈકાલે) આવ્યું હતું હવે, છેલ્લી એક લીટી રહી છે, મુદ્દાની વાત છે!!
એને (જ્ઞાયકભાવને) શુદ્ધ કેમ કીધો? જ્ઞાયકભાવ, એ શુભાશુભ ભાવે પરિણમતો નથી- એ ચીજને તમે શુદ્ધ કેમ કીધી?
તો કહે છે, તે શુદ્ધ તો છે જ. (પણ કોને?) કે ભિન્ન-પણે ઉપાસવામાં આવતાંશુદ્ધસ્વભાવમાં આવતાં, એને શુદ્ધ જણાય છે. શું કહ્યું છે ? વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ છે જ. એ તો છે, પણ છે કોને?
અહા. હા.. હા..! “તે જ સમસ્ત અન્યદ્રવ્યોના ભાવોથી' (એટલે) અન્ય દ્રવ્યોના ભાવ (અર્થાત્ ) કર્મનો રસ આદિ આહા...! વિકાર આમાં ન લેવો. આંહી તો અન્યદ્રવ્યોના ભાવ લેવા. ઈ. અન્યદ્રવ્યોના ભાવથી ભિન્ન પડતાં, વિકારથી ભિન્ન પડી જાય છે. “ભાવ” એમ કહેવું છે ને ! અન્ય દ્રવ્યોના “ભાવ” એટલે પુણ્ય-પાપના ભાવ ઈ આંહી નહીં. અન્ય દ્રવ્યોનો જે “ભાવ” અન્યભાવ, એની શક્તિ, “ભાવ” – એનાથી ભિન્ન, એનું લક્ષ છોડીને, એનાથી ભિન્ન જ્યાં એનું લક્ષ છોડે ત્યાં વિકારનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com