________________
૪૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧ લઈને નિશ્ચય પમાય એમ નથી. એનાથી ભેદ પાડીને, જુદો પાડીને નિશ્ચય પમાય. એનાથીનપમાય! છતાં એ વ્યવહાર આવ્યા વિના રહે નહીં. પૂરણ વસ્તુ ન હોય ત્યાં વ્યવહાર આવે, હોય પણ સ્વસમય’ તો આને કહીએ.
આહા... હા! પોતાનું પરિણમન દર્શનજ્ઞાન સ્વરૂપના અસ્તિત્વમાં, શ્રદ્ધાજ્ઞાનને ચારિત્ર રૂપે થયું તેને “સ્વસમય જાણ એમ કીધું.
આહા..! “એવો તે “સ્વસમય” પ્રતીત કરવામાં આવે છે.” એવા જીવને મોક્ષમાર્ગ છે એમ શ્રદ્ધવામાં આવે છે. આહાહા ! ઈ એક વાત થઈ.
(ગાથામાં) “નીવો ચરિત્ત' જીવો કહી “વંસTUTIળ વિવો' એટલે દર્શનશાનચારિત્રમાં સ્થિત તું હિ સમયે નાણ' તે ‘સ્વસમય' જાણ એટલાનો અર્થ થયો! બે પદનો હવે ત્રીજા પદની (વ્યાખ્યા)
પણ જ્યારે તે અનાદિ અવિદ્યારૂપી જે કેળ' આહા.... હા ! પોતાના પુરણ દર્શનજ્ઞાનસ્વરૂપી પ્રભુ (આત્મા) જ્ઞાતાદષ્ટાથી હયાતિવાળો ભગવાન, એના અજ્ઞાનને લઈને, એ સ્વરૂપના ભાન વિના, “અનાદિ અવિદ્યારૂપી કેળ' કેળ આ જેમાં કેળાં થાય છે ને..! “તેના મૂળની ગાંઠ જેવો” કેળની મૂળની ગાંઠ! એમાંથી કેળ બહુ પાકે, ફાલ્યા જ કરે ! છે ને કેળની (ગાંઠમાંથી બચલાં ફૂટયાંજ કરે) આહા...!
અજ્ઞાનરૂપી તે કેળ તેના મૂળની ગાંઠ જેવો મોહ. જેમ કેળની ગાંઠમાંથી અનેક કેળું (કળના બચલાં) થાય, કેળની ગાંઠ હોયને મોટી ગાંઠ, એમાં અનેક કેળ પાકે. કેળની વાત છે કેળાની વાત નથી. કેળું (પાકે) એમ મોહરૂપી ગાંઠ!
આહા... હા! “અનાદિ અવિદ્યારૂપી અજ્ઞાનરૂપી જે કેળ, એ કેળની ગાંઠ જેવો મોહ પુષ્ટ થયેલો આહા! “મોહ. તેના ઉદય અનુસાર' એને કર્મનો જે ઉદય છે એને “અનુસારે પોતે પ્રવર્તે આધીનપણાથી ” એ ઉદય તેને પ્રવર્તાવે છે એમ નહીં પણ ઉદયના અનુસારે પોતે પ્રવર્તીને આધીનપણાથી.
જે આંહી સ્વભાવના આધીનપણે દર્શનજ્ઞાનને ચારિત્રમાં સ્થિત થવું જોઈએ એમ ન કરતાં, નિમિત્ત જે કર્મનો ઉદય એને અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી આહા. હા! કર્મના અનુભાગનાનિમિત્તના અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી–પોતે કરે છે. કર્મ કરાવતું નથી એને કાંઈ...! આહાહા ! તેના ઉદય અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી, દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ ત્યાં કીધું તું ને નિયતવૃત્તિરૂપ અસ્તિત્વ” ઓલામાં પ્રવૃત્તિ કીધી. આહા.. “નિયત વૃત્તિરૂપ આત્મતત્ત્વથી દર્શનજ્ઞાન સ્વભાવમાં નિશ્ચય અસ્તિત્વરૂપ આત્મતત્ત્વ, આત્મતત્ત્વ એને કહીએ જે જ્ઞાનદર્શનમાં અસ્તિપણે રહે છે. દર્શનશાન એવું જે નિશ્ચય-એનું જે ટકવું, એવું જે આત્મતત્વ.” એ દર્શનશાનમાં ટકેલું આત્મતત્ત્વ છે. સમજાણું કાંઈ....?
આહા... હા! દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયત નિશ્ચય હોવાપણારૂપ આત્મતત્ત્વ-દર્શનજ્ઞાનસ્વભાવમાં નિશ્ચયપણે રહેલું હોવારૂપે રહેલું આત્મતત્ત્વ, એનાથી છૂટી મોહ તેના ઉદય અનુસાર તેના આધીનપણાથી–નિમિત્તના ઉદયના આધીનપણાથી આત્મતત્ત્વથી છૂટી, ઈ કરમના ઉદયના આધીન તે પ્રવર્તતો તે આતમતત્ત્વથી છૂટયો આહા. હા! સ્વરૂપ જે દર્શનજ્ઞાનસ્વરૂપ છે. દ્રષ્ટાને જ્ઞાતા જે આત્મતત્ત્વ છે. એનાથી છૂટયો, અને મોહ જે કેળની ગાંઠ જેવો મોહ એને અનુસાર પ્રવર્તતો, મિથ્યા દર્શન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com