________________
૪૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પ્રવચન રત્નો-૧ ‘દ્રવ્યહોવાથી વસ્તુ' વસ્તુ કેમ? અંતર શક્તિઓ અંદર વસેલી છે માટે વસ્તુ કહેવામાં આવે છે. એક જ ચીજ છે ને એક જ ગુણ છે ને એક જ પર્યાય છે એમ નથી. અનંતગુણ ને અવંતીપર્યાય એમાં વસેલી છે. માટે તેને દ્રવ્ય અને વસ્તુ કહેવામાં આવે છે.
આહા... હા! “ગુણપર્યાયવાળો છે” “અંગીકાર કર્યા છે એ આવ્યું “તું ને...! ગુણપર્યાય જેણે અંગીકાર કર્યા છે. આત્મામાં ત્રિકાળી ગુણ પણ છે ને વર્તમાન પર્યાય પણ છે. ગુણપર્યાયવાળું એ તત્ત્વ છે. એના પર્યાય માટે - યાતિને માટે બીજાં તત્ત્વોને લઈને આ પર્યાય છે એમ નથી. ચાહે અવિકારી કે વિકારી હો! પણ એ ગુણપર્યાયવાળું પદાર્થ પોતે એ રૂપે રહેલું છે. પરને લઈને નથી.
આહા.... હા ! “ગુણપર્યાયવાળો છે” “તેનું સ્વપરપ્રકાશક જ્ઞાન' આત્માનું સ્વપરપ્રકાશક જ્ઞાન છે? “અનેકાકારરૂપ એક છે' એ જ્ઞાન.. અનેક યોને જાણે, છતાં અનેકપણે કટકા-ખંડ થતા નથી. અનેકને જાણે છતાં એકરૂપજ્ઞાનરૂપે રહે છે.
આહા.... હા! આવી ગ્યું છે એમાં (ટકામાં)
આ આત્મા જે છે એ જ્ઞાનસ્વરૂપ પ્રભુ છે. પ્રજ્ઞાસ્વરૂપ-જ્ઞાનસ્વરૂપ પ્રભુ! ચૈતન્યપ્રકાશનો પુંજ પ્રભુ! એ ચૈતન્ય પરને-અનેક-અનંતપદાર્થને જાણે છતાં તે પરપદાર્થ રૂપે તે જ્ઞાન થતું નથી. એ પરપદાર્થ-અનંતને જાણે તેથી તે જ્ઞાનમાં અનંત ખંડ પડી જાય છે અનંત યોને જાણતા એ
યાકારોરૂપ અનંત ખંડ થાય છે એમ નથી, જ્ઞાન તો એકરૂપે જ રહે છે એ અનંત જાણવામાં એકરૂપે રહે છે. આહા... હા !
સ્વપરપ્રકાશકજ્ઞાન અનેકાકારરૂપ એક છે' પર આવ્યું ને એમાં? પરને, અનેક જાણવા છતાં સ્વરૂપ તો એકજ છે. પર્યાયનો ધર્મ જ સ્વપરપ્રકાશક! અનંત પરને.... અનંતપોતાના ગુણ હોવાથી, બેયને પ્રકાશે છતાં તે એકરૂપ રહેનાર છે. જ્ઞાનના ખંડ ને ભેદ થતાં નથી ત્યાં! આહા.... હા ! આ જીવ ” નામના પદાર્થની વ્યાખ્યા કરે છે.
“વળી તે જીવપદાર્થ આકાશાદિથી ભિન' આકાશ, પરમાણુ જેમ ભિન્ન ચીજ છે જુદી એવો પ્રભુ (આત્મા) “અસાધારણ ચૈતન્યગુણસ્વરૂપ છે” જેનામાં ચૈતન્યગુણ અસાધારણ (છે) એટલે કે બીજાં દ્રવ્યોમાં તો નથી. પણ બીજો એવો ગુણ નથી. એવો અસાધારણ ચૈતન્યગુણ સ્વરૂપ છે. એની સાથે અનંતાગુણો બીજાં ભેગાં છે. પણ ચૈતન્યની મુખ્યતામાં કારણકે ચૈતન્ય પોતાને જાણે, બીજાં ગુણોની યાતિને જાણે ! બીજાં ગુણોની યાતિ બીજાં ગુણો ન જાણે ! જડની
યાતિ જડ ન જાણે ! તે જ્ઞાન પરની ધ્યાતિને જાણે અને પરના-પોતાના જ્ઞાન સિવાય બીજા અનંતા ગુણને જાણે ! તેથી તેને મુખ્ય ચૈતન્યગુણ સ્વરૂપ કહેવામાં અસાધારણ (ગુણ સ્વરૂપ છે) બીજો કોઈ એના જેવો છે નહીં ગુણ !
આહા... હા! આ તો જીવ કેવો? કે ત્રસની દયા પાળે ને પરને સુખ આપે ને દુઃખ આપે ને મારે ને જીવાડે ને.. એ જીવ! આ ધંધો કરે ધ્યાન રાખીને એ જીવ! મારી નાખ્યા અજ્ઞાનીએ.. આહા... હા! ધંધાના પ્રવીણ થઈને.. હુશિયારી કરીને ધંધા કરે, દુકાનમાં થડો સાચવે, પાંચ પચાસ નોકરો હોય તો બધાને કબજામાં રાખે! એ જીવ! એ તારી બધી વાત ખોટી. આહાહા! જીવ તો સ્વને પગને જાણનારો જીવ છે. પરનું કાંઈ કરે ને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com