________________
અર્થ: ભોળા હરણિયાઓ બાજુમાં જ રહેલા જળાશયને છોડીને ઉનાળાની
ગરમીમાં રેતીમાં દેખાતા ઝાંઝવાજળ પાછળ દોડે છે. ત્યાં પહોંચે, જળ ન મળે, પાછી દૂર નજર કરે, દૂર જળ દેખાય... આમ ને આમ મોત પામે. આ સંસારીઓ, ભોગલંપટ જીવો પણ શું જડ નથી? આ પાંચ ઈન્દ્રિયોના વિષયો પણ ઝાંઝવાજળ જેવા જ છે. જીવો માને છે કે આમાં સુખ છે અને પાછળ દોડે છે પણ એ જીવોની તૃષ્ણા તો આગળ ને આગળ વધતી જ જાય છે.
. (२२) गुरुत्वं स्वस्य नोदेति, शिक्षासात्म्येन यावता ।
आत्मतत्त्वप्रकाशेन, तावत् सेव्यो गुस्त्तमः ।। અર્થ: ગુરુ પાસેથી ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા લેતા લેતા જ શિષ્યો
સ્વયં પોતાની જાતના ગુરુ બની જાય છે. ગ્રહણ-આસેવનશિક્ષા દ્વારા શિષ્યોમાં આત્મતત્વનો પ્રકાશ થાય છે. અને પછી તેઓ સ્વયં પોતાના ગુરુ બની જાય છે. પણ જ્યાં સુધી એ ન બને ત્યાં સુધી તો ઉત્તમગુરુની સેવા કરવી જ પડે. (ગુરુ પાસેથી શ્રુતજ્ઞાન મેળવવું એ ગ્રહણશિક્ષા છે અને પ્રતિલેખન, ગોચરી વગેરે અનુષ્ઠાનો ગુરુ પાસે શીખવા એ આસેવનશિક્ષા છે. જે સાધુને રાગ-દ્વેષ ન સતાવે, જેનાથી પ્રાયઃ કોઈ ભૂલ ન થાય એ પોતાનો ગુરુ બની ગયેલો
કહેવાય.) (२३) ज्ञानी क्रियापरः शान्तो, भावितात्मा जितेन्द्रियः ।
स्वयं तीर्णो भवाम्भोधेः, परांस्तारयितुं क्षमः ।। અર્થ : જે સાધુ (૧) જ્ઞાની (૨) ક્રિયાતત્પર (૩) શાન્ત (૪) ભાવિતાત્મા
(૫) જિતેન્દ્રિય છે એ સ્વયં આ સંસારસમુદ્રથી તરે છે અને એ જ
બીજાઓને તારવા માટે સમર્થ બને છે. (२४) क्रियाविरहितं हन्त ज्ञानमात्रमनर्थकम् ।
गति विना पथज्ञोऽपि नाप्नोति पुरमीप्सितम् ।। અર્થ : વિગઈત્યાગ, આંબિલ, પ્રતિક્રમણાદિ ક્રિયાઓ વિનાનું માત્ર જ્ઞાન એ
તો નકામું છે. રે ! ગમે તેટલો માર્ગનો જાણકાર હોય પણ એ
૧૬
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨