Book Title: Jain Shastrona Chuntela Shloko Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 172
________________ ૧૮. સ્ટેપલર વાપર્યું. કાતર, સોય, નેકટર, સ્ટેપલર વિગેરે ગૃહસ્થને વાપરવા આપ્યા, ખોયા. ૧૯. ચોમાસા પૂર્વે યાચીને પડિલેહણ કરી અવગ્રહમાં ન કરેલ પાટ-પાટલા ખુરશી-ધાબળા-ઘડા વિગેરેનો ચોમાસામાં ઉપાશ્રયમાં કે ગૃહસ્થને ત્યાં ઉપયોગ કર્યો. ૨૦. આ સિવાયના આલોચનાના સ્થાનો પોતપોતાની સામાચારી મુજબ જાણી લેવા. આ જ . . ૧. બીજા જ્ઞાની, તપસ્વી, વક્તા, પ્રભાવક વિગેરેની જાહોજલાલી, પ્રશંસા, વાહ-વાહ વગેરે જાણીને ઈર્ષ્યા કરી, એમની જાહોજલાલી વગેરે ઓછા થાય એવું ઇછ્યું, એ માટે સીધી કે આડકતરા પ્રયાસો કર્યા. (રિહંતાણં સાસાયા..) ૨. પોતાને નાપસંદ એવી ગુર્વાશાનો સ્વીકાર ન કર્યો, સ્વીકાર કર્યો તો એમાં આનંદ ન માન્યો, પોતાનો અણગમો વ્યક્ત કર્યો. એ ગુર્વાદિષ્ટ કાર્ય નિરર્થક છે અથવા અનુચિત છે એવું સૂચિત કરનારી વાતોચર્ચાઓ કરી. ગુરુ પ્રત્યે દુર્ભાવ કર્યો. ગુરુ સાથે દલીલબાજીઓ કરી, જીભાજોડી કરી, આક્રોશ કર્યો. એ કાર્ય સારું ન થાય, બગડી જાય એ માટે જાણી જોઈને બેકાળજી કરી, વેઠ ઉતારી. ૪. પોતાને નાપસંદ સ્થાને કે પોતાને નાપસંદ સંઘાટક સાથે જવા કે રહેવાની ગુરુજી વાત કરે ત્યારે એની ઘસીને ના પાડી દીધી અથવા ગુરુજી એ વાત પડતી મૂકે એ માટે એમને કંઈક સાચી ખોટી વાતોદલીલો કરી ઉંધું-ચતું સમજાવ્યું ને છતાં એ વાત ઊભી રહી તો ગુરુજી પ્રત્યે પણ ઘણો દુર્ભાવ કર્યો. એ પરિસ્થિતિના દિવસો કેવી રીતે પસાર થશે એ માટે જાતજાતની કલ્પનાઓ, સંકલ્પ-વિકલ્પો કર્યા, ચિંતા આર્તધ્યાન કર્યા. ૫. એ જ રીતે પસંદગીના સ્થાન કે સંઘાટક સાથે જવા-રહેવા મળે એ માટે કંઈક ઉચિત-અનુચિત કારવાહીઓ કરી ને છતાં એમ ન થવા પર જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (આલોચના સ્થાન સંગ્રહ) ૧૬૩

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178