Book Title: Jain Shastrona Chuntela Shloko Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 69
________________ સમ્યજ્ઞાનના પ્રકાશના સહસ્રકિરણોને વિશ્વમાં પ્રસરાવતાં ગુરુદેવ એ જ સાચા સૂર્યશા નથી? જો સદ્ગુરુ-સૂર્ય પ્રાપ્ત થઈ જાય તો બેડો પાર થઈ જાય. (૮) સજ્ઞાનમાનાં વિનિપાતુશ્મનોતિ યો મોદમાન્યુ: हस्ते गृहीत्वा विनिवार्य तस्माज्जनं नयत्यध्वनि धर्मबन्धुः ।। ५३ ।। અર્થ : અહો ! વંદન હો તે ધર્મબન્ધ ગુરુદેવોને ! પેલો જાલીમ મોહકૂવો; ઉપરથી જાણે કે ડાળાં-ઝાંખડાએ ઢંકાએલો એકદમ ગુપ્ત, અજ્ઞાની જીવોના વિનિપાત માટે તો સાક્ષાત યમરાજના સહોદર જેવો. જો આ જગતમાં ધર્મગુર ન હોત તો કોણ વહાલી “મા” બનીને કુવે પડતાં અજ્ઞાની બાળને હાથ ઝાલીને ત્યાંથી પાછો લાવત અને સન્માર્ગે ચડાવત? () રૂાં સમૃદ્ધિઃ સત્તા સમથિકમાવનગ્નેતિ નિનામઃ | अत्रैव कार्यः सुदृढप्रयत्नो वैराग्यसर्वस्वमिदं विदन्ति ।।१२४ ।। અર્થ : શ્રી જિનાગમોના જાણકાર ભગવંતો કહે છે કે આવી તીર્થકરત્વની સઘળી અતિશયસમૃદ્ધિ સમાધિના પ્રભાવથી જ પ્રાપ્ત થાય છે માટે વૈરાગ્યભાવના સર્વસ્વસમા સમાધિભાવને પામવા માટે સઘળો પ્રયત્ન ભવ્યાત્માએ કરી છૂટવો જોઈએ. अनल्पसङ्कल्पविकल्पलोलकल्लोलमालाकुलितस्य जन्तोः । ऐकान्तिकः कोऽपि विना समाधिस्तैमित्यमन्यो न हि तस्य हेतुः ।। १२७।। અર્થ: રે ભવ્યાત્માઓ ! અમે જાણીએ છીએ કે સંસારના અકથ્ય ભારથી કચડાયેલા તમારું ચિત્ત અગણિત સંકલ્પ-વિકલ્પોના ચંચળ તરંગોથી આકુળ-વ્યાકુળ થઈ ગયું છે. પણ તે ચિત્તની સાચી શાન્તિનો ઉપાય એક જ છે. એ ઉપાયના સેવનથી ચિત્તશાન્તિ અચૂક પ્રાપ્ત થઈ જાય એમાં કોઈ શંકા નૈથી. એ ઉપાય છે, અડોલ સમાધિભાવને તમે સિદ્ધ કરો. સમાધિ એટલે સમાધાન, ચિત્તનું સમાધાન. સુખ અને દુઃખે-કોઈપણ પ્રસંગે ચિત્તનું સમાધાન કરતાં રહો. = (૧૦) ૬૦ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178