Book Title: Jain Shastrona Chuntela Shloko Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 134
________________ શિષ્ય પૂજ્ય છે. (४३) सक्का सहेउं आसाइ कंटया अओमया उच्छहया नरेणं । अणास जोउ सहेज्ज कंटए वईमए कन्नसरे स पुज्जो || અર્થ : કેટલાક ધનપ્રાપ્તિ માટે ઉત્સાહવંત બનેલા માનવો ધન મળવાની આશાથી શરીરમાં કાંટા ઘોંચાય એને પણ સહન કરી લે છે એ તો હજી સરળ છે. પણ ગુરુ કે ગુરુભાઈઓ દ્વારા બોલાતા, કાનમાં બાણની જેમ ઘૂસી જતા કડવા વચનોરૂપી કાંટાઓને જે સાધુ સહન કરે છે તે પૂજનીય છે. (४४) मुहुत्तदुक्खा उ हवंति कंटया, अओमया तेऽवि तओ सुउद्धरा । वाया दुरुत्ताणि दुरुद्धराणि, वेराणुबंधीणि महब्भयाणि ।। અર્થ : લોખંડના કાંટાઓ તો બે-ચાર ઘડી માટે જ દુઃખદાયી બને છે. વળી, શરીરમાં ઘૂસેલા એ કાંટાઓ બહાર કાઢી નાંખવા પણ સહેલા છે. જ્યારે કડવા વચનો તો એવા દુષ્ટ છે કે એ વર્ષો પછી પણ મનમાંથી ભૂંસાતા નથી, વૈરની પરંપરા ઊભી કરે છે, દુર્ગતિ વિગેરે મોટા ભયના કારણ છે. (४५) समावयंता वयणाभिघाया, कन्नंगया दुम्मणिअं जणंति । धम्मुत्ति किच्चा परमग्गसूरे, जिइंदिए जो सहइ स पुज्जो ।। અર્થ : ‘ગુરુ કે ગુરુભાઈઓ વગેરે તરફથી છોડવામાં આવતા કડવા વચનો રૂપી બાણો કાનમાં જઈને સાધુના મનમાં સંક્લેશ, ખેદ, કષાયને ઉત્પન્ન કરનારા બને છે. પણ ‘કડવા વચનો સહન કરવા એ તો ધર્મ છે’ એમ વિચારીને આધ્યાત્મિક જગત્નો જે શૂરવીર સાધુ એ વચનો હસતા હસતા સહન કરે છે એને મારા કોટિ કોટિ વંદન ! (४६) गुणेहि साहू अगुणेहिऽसाहू, गिण्हाहि साहुगुण मुंचऽसाहू । विआणिआ अप्पगमप्पएणं, जो रागदोसेहिं समो स पुज्जो ।। અર્થ : સાધુ માત્ર વેષ ધારણ કરવાથી કે સાધુજીવનની ક્રિયાઓ કરવા માત્રથી નથી બનાતું પણ સાધુના ક્ષમાદિ ગુણો સિદ્ધ કરીએ તો સાચા સાધુ બનાય. એ ગુણો સિદ્ધ ન કરીએ તો ક્રોધાદિ અવગુણો વડે અસાધુ બનાય. માટે ઓ દીક્ષિત આત્મન્ ! તું સાધુના ગુણોને ગ્રહણ ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷††††† જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (દશવૈકાલિક સૂત્રમ્) ૧૨૫

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178