Book Title: Jain Shastrona Chuntela Shloko Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 138
________________ (४९) जया य चयइ धम्म अणज्जो भोगकारणा । से तत्थ मुच्छिए बाले आयई नावबुज्झइ ।। અર્થ: આ અઢાર વસ્તુઓ સમજાવવા છતાં જો અનાર્ય સાધુ ભોગસુખો ભોગવવા માટે ચારિત્રધર્મને છોડી દે તો એ ભોગસુખોમાં મૂચ્છિત થયેલો મૂર્ખ સાધુ પોતાના ભવિષ્યને સમજતો જ નથી. (५०) जया ओहाविओ होइ इंदो वा पडिओ छमं । सव्वधम्मपरिब्भट्ठो स पच्छा परितप्पइ ।। અર્થ : ઈન્દ્ર ધરતી ઉપર પડે એમ જ્યારે મુનિ દીક્ષા છોડી દે ત્યારે સર્વધર્મથી ભ્રષ્ટ થયેલા અને પાછળથી ખૂબ જ પસ્તાવાનો વારો આવે છે. (५१) जया अ वंदिमो होइ पच्छा होइ अवंदिमो । देवया व चुआ ठाणा स पच्छा परितप्पइ ।। અર્થ : દીક્ષાપર્યાયમાં કરોડપતિઓ વડે વંદાતો એ મુનિ દીક્ષા છોડ્યા બાદ સર્વત્ર ધિક્કાર પામે છે. સ્થાનથી ભ્રષ્ટ થયેલા દેવની જેમ એ બિચારો પછી ખૂબ પસ્તાવો કરે છે. (५२) जया अ थेरओ होइ समइक्कंतजुव्वणो । मच्छु ब्व गलं गिलित्ता स पच्छा परितप्पइ ।। અર્થ : દીક્ષા છોડ્યા બાદ એ ઉદ્ગજિત કાળક્રમે વૃદ્ધ થાય, યૌવનાવસ્થા સમાપ્ત થાય ત્યારે એ ખૂબ પશ્ચાત્તાપ કરે છે. પેલો માછલો ! માંસની લાલચમાં માછીમારના માંસ સાથે લાગેલા કાંટામાં ફસાઈ ગયા બાદ કેવો પસ્તાવો કરે છે ! (५३) जया अ कुकुडुंबस्स कुतत्तीहिं विहम्मइ । हत्थी व बंधणे बद्धो स पच्छा परितप्पइ ।। અર્થ : દીક્ષા છોડી સંસાર તો માંડ્યો પણ પત્ની કજીયાળી મળી ! પુત્રો નપાવટ, ઉશ્રુંખલ મળ્યા ! પેટ ભરી શકાય એટલી આજીવિકા માંડ મળી. રોજેરોજ એ કુટુંબની જાતજાતની ચિંતાઓ વડે આ ઉદ્ગજિત હેરાન થાય ત્યારે બંધનમાં બંધાયેલા હાથીની જેમ એ બિચારો ખૂબ પસ્તાવો કરે કે દીક્ષા ન છોડી હોત તો કેટલું સારું થાત! જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (દશવૈકાલિક સૂત્રમ્) ૧૨૯

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178