Book Title: Jain Shastrona Chuntela Shloko Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 126
________________ (૬) કે, “બેસો, આવો, તમે આ કામ કરી નાંખજો. ચાલો, ઊંઘી જાઓ, ઊભા રહો, જતા રહો.” આ બધી સાવદ્ય ભાષા છે. (૮) વહું સુદિ નેહિં રહું ૩છીદિ પિચ્છ / न य दिळं सुअं सव्वं भिक्खू अक्खाउमरिहइ ।। અર્થ : સાધુને તો પોતાના કાનેથી જાતજાતની ઘણી ય વાતો સાંભળવા મળે બે આંખેથી ઘણા ય પ્રસંગો જોવા મળે. પણ જેટલું સાંભળ્યું, જે સાંભળ્યું, જે જોયું એ બધું બીજાને કહી દેવું એ સાધુ માટે યોગ્ય નથી. બીજાને અહિતકારી થાય તેવી વાત સાધુ કદી ન ઉચ્ચારે. खुहं पिवासं दुस्सिज्जं सीउण्हं अरइं भयं । अहिआसे अव्वहिओ देहदुक्खं महाफलं ।। અર્થ : સાધુ લેશ પણ આર્તધ્યાન કર્યા વિના પ્રસનભાવે ભૂખ, તરસ, કર્કશ શય્યા, ઠંડી, ગરમી, અરતિ, ભયને સહન કરે, કેમકે આ રીતે દેહને દુઃખ આપવું એ ઘણા મોટા ફળનું કારણ છે. (१०) से जाणमजाणं वा कटु आहम्मिअं पयं । संवरे खिप्पमप्पाणं बीअं तं न समायरे ।। અર્થ : સાધુ જાણતા કે અજાણતા કાંઈક અધર્મ કરી બેસે એ શક્ય છે. પણ સાચો સાધુ તો “પાપ થઈ ગયું એ ખબર પડતાંની સાથે જ પોતાના આત્માને અટકાવે, આલોચનાદિ કરી લે અને જિંદગીમાં ફરીથી એ પાપ પાછું ન કરે. (99) કળાવાર પર નેવ દે ને નિફ્ટવે | सूई सया विअडभावे असंसत्ते जिइंदिए ।। અર્થ : જિનાજ્ઞાવિરુદ્ધ કોઈપણ પ્રવૃત્તિ કર્યા બાદ સાધુ તેને છુપાવે તો નહિ જ. અધકચરું કહેવાદિ રૂપ માયા પણ ન કરે. પણ ઈન્દ્રિયોનો વિજયી, વિષયસુખોમાં રાગ વિનાનો એ સાધુ કાયમ માટે ખુલ્લો થઈને રહે. પોતાના ભાવો ગુરુ આગળ પ્રગટ કરી દે. (१२) अमोहं वयणं कुज्जा आयरिअस्स महप्पणो । तं परिगिज्झ वायाए कम्मुणा उववायए ।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (દશવૈકાલિક સૂત્રમ્) ૧૧૭

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178