Book Title: Jain Shastrona Chuntela Shloko Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust
View full book text
________________
શુભ ભાવોથી ઉપાર્જેલું પ્રકૃષ્ટ સાનુબંધ શુભ કર્મ નિયમત શુભ ફળ આપનારું બને છે, શુભમાં પ્રવૃત્તિ કરાવે છે અને પરંપરાએ મોક્ષસાધક બને છે. વૈદ્ય સારી રીતે યોજેલા ઔષધની જેમ. આમ આ સૂત્ર શુભ ભાવનું બીજ હોવાથી તેનો પાઠ નિદાનરહિત (ભૌતિક ફલાશંસારહિત) બનીને તથા ચિત્તના અશુભ ભાવોને દૂર કરીને એકાગ્રતાથી કરવો, તેનું સારી રીતે શ્રવણ કરવું અને તેની ઉપર અનુપ્રેક્ષા કરવી.
અંતિમ મંગલ :
નમો નમિઅનમિઆણં પરમગુરુ વીઅરાગાણું, નમો સેસનમુક્કારારિહાણ, જયઉ સવ્વષ્ણુસાસણ ! પરમસંબોધીએ સુહિણો ભવંતુ જીવા, સુહિણો ભવંતુ જીવા, સુહિણો ભવંતુ જીવા. | હે જગતના લોકોથી નમાયેલા ! દેવેન્દ્રો, નરેન્દ્રો અને ગણધરોથી નમાયેલા પરમ ગુરુ! વીતરાગ ભગવંતો ! આપને અમારા નમસ્કાર થાઓ.
હે નમસ્કાર કરવા લાયક અન્ય સિદ્ધ ભગવંતો તથા આચાર્યાદિ ભગવંતો ! આપને અમારા નમસ્કાર થાઓ.
વીતરાગ-સર્વજ્ઞ પ્રણીત જિનશાસન જય પામો. અમારા હૈયે સર્વોત્કૃષ્ટપણે વર્તો.
ઉત્તમ સમ્યક્તની પ્રાપ્તિ કરીને જગતના સર્વ જીવો સાચા સુખી થાઓ, સર્વ જીવો સુખી થાઓ, સર્વ જીવો સુખી થાઓ.
HHHHHHH14-1+1+1+*+-+-+*++H+-+-+*-+-+1-1-1+1+1+1
+1+1+1+11+1+1+1-111HHIHH-HH-It-II-
HIHHH
૧૧૪
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178