SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ શુભ ભાવોથી ઉપાર્જેલું પ્રકૃષ્ટ સાનુબંધ શુભ કર્મ નિયમત શુભ ફળ આપનારું બને છે, શુભમાં પ્રવૃત્તિ કરાવે છે અને પરંપરાએ મોક્ષસાધક બને છે. વૈદ્ય સારી રીતે યોજેલા ઔષધની જેમ. આમ આ સૂત્ર શુભ ભાવનું બીજ હોવાથી તેનો પાઠ નિદાનરહિત (ભૌતિક ફલાશંસારહિત) બનીને તથા ચિત્તના અશુભ ભાવોને દૂર કરીને એકાગ્રતાથી કરવો, તેનું સારી રીતે શ્રવણ કરવું અને તેની ઉપર અનુપ્રેક્ષા કરવી. અંતિમ મંગલ : નમો નમિઅનમિઆણં પરમગુરુ વીઅરાગાણું, નમો સેસનમુક્કારારિહાણ, જયઉ સવ્વષ્ણુસાસણ ! પરમસંબોધીએ સુહિણો ભવંતુ જીવા, સુહિણો ભવંતુ જીવા, સુહિણો ભવંતુ જીવા. | હે જગતના લોકોથી નમાયેલા ! દેવેન્દ્રો, નરેન્દ્રો અને ગણધરોથી નમાયેલા પરમ ગુરુ! વીતરાગ ભગવંતો ! આપને અમારા નમસ્કાર થાઓ. હે નમસ્કાર કરવા લાયક અન્ય સિદ્ધ ભગવંતો તથા આચાર્યાદિ ભગવંતો ! આપને અમારા નમસ્કાર થાઓ. વીતરાગ-સર્વજ્ઞ પ્રણીત જિનશાસન જય પામો. અમારા હૈયે સર્વોત્કૃષ્ટપણે વર્તો. ઉત્તમ સમ્યક્તની પ્રાપ્તિ કરીને જગતના સર્વ જીવો સાચા સુખી થાઓ, સર્વ જીવો સુખી થાઓ, સર્વ જીવો સુખી થાઓ. HHHHHHH14-1+1+1+*+-+-+*++H+-+-+*-+-+1-1-1+1+1+1 +1+1+1+11+1+1+1-111HHIHH-HH-It-II- HIHHH ૧૧૪ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨
SR No.022618
Book TitleJain Shastrona Chuntela Shloko Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages178
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy