Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. વિપા.૩૪.
૧
૧. ભદ્દબાહુ (ભદ્રબાહુ) આચાર્ય જસભદ્દ(૨)ના બે મુખ્ય શિષ્યોમાંના એક શિષ્ય. તે પાઈણ ગોત્રના હતા. જે ચાર શિષ્યોને તેમણે રાયગિહમાં દીક્ષા આપી હતી તે તેમના ચાર શિષ્યો રાયગિહ પાસે આવેલા વેભારગિરિ પર્વતની ગુફામાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે ભદ્દબાહુ ણેપાલમાં મહાપાણ(મહાપ્રાણ) ધ્યાનમાં લાગેલા હતા ત્યારે જસભદ્દના પ્રથમ મુખ્ય શિષ્ય સંભૂઇવિજય(૪)ના એક શિષ્ય થૂલભદ્દ તેમની પાસે દિટિવાય ભણવા માટે ણેપાલ ગયા હતા. પરંતુ ભદ્દબાહુએ તેમને (દિઢિવાયના મહત્ત્વના ભાગરૂપ) ચૌદ પુર્વી ભણાવ્યા કિન્તુ છેલ્લા ચાર પુત્વનો અર્થ કોઈક કારણસર ન ભણાવ્યો. વળી, ભદ્દબાહુએ તેમને છેલ્લા ચાર પુર્વા બીજા કોઈને ભણાવવાની મના કરી.૪ દસા, કપ્પ(૨) અને વવહારનું કર્તૃત્વ ભદ્દબાહુનું મનાયું છે. તેમના પછી અનવસ્થાપ્ય અને પારાગ્નિક પ્રાયશ્ચિત્તનો લોપ થયો. સિદ્ધસેણ ક્ષમાશ્રમણે તેમના કેટલાક ઉપદેશો સમજાવ્યા છે. તેઓ તેમની પાછળ તેમના ચાર શિષ્યોને મૂકતા ગયા – ગોદાસ, અગ્નિદત્ત, જિÇદત્ત અને સોમદત્ત. જુઓ સ્થૂલભદ્દ અને દિઢિવાય.
૫
પરંપરા તેમને છિન્નુત્તિઓના પણ કર્તા માને છે પરંતુ પ્રાપ્ત પુરાવાઓ તેને સિદ્ધ કરતા નથી. એ શક્ય છે કે હાલ મળતી ણિજ્જુતિઓમાં કેટલાક ભાગો એવા હોય જેમના કર્તા આ ભદ્દબાહુ હોય.૧૦ જુઓ ભદ્દબાહુ(૨).
૧. નન્દિ.ગાથા ૨૪, કલ્પ(થેરાવલિ). ૬, દશાચૂ.પૃ.૫,નન્દિમ.પૃ.૪૯. કલ્પવિ.પૃ.૨૫૧.
પીઠિકા, કૈલાશચન્દ્ર શાસ્ત્રી.પૃ. ૩૪૨-૪૬. ૪. આચૂ.૨.પૃ.૧૮૭, તીર્થો.૭૧૪થી આગળ, વ્યવભા.૬.૨૫૭.
૫. દશાનિ.૧,વ્યવભા.૧૦.૬૦૩.
૨. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૮૯, ઉત્તરાયૂ.પૃ.૫૬.
૬. જીતભા.૨૫૮૬-૮૭, વ્યવભા.૪.૧૩૭થી
૩.દિગમ્બર પરંપરા અનુસાર બાર વર્ષના પડેલા દુકાળ દરમ્યાન સંઘ સાથે ભદ્રબાહુ દક્ષિણમાં સ્થળાન્તર કરીને ગયા. તેમણે સમ્રાટ ચન્દ્રગુપ્ત મૌર્યને દીક્ષા આપી અને તે બન્ને શ્રવણ બેલગોલામાં સમાધિમરણ પામ્યા. જુઓ જૈન સાહિત્ય કા ઇતિહાસ, પૂર્વ
આગળ.
Jain Education International
૧૧૫
૭. નિશીચૂ.૪.પૃ.૧૨૧, આવચૂ.૨.પૃ.૨૩૩. ૮. કલ્પ.પૃ.૨૫૫.
૯. બૃક્ષે.વોલ્યૂમ ૬ (ગ્રન્થકારોનો પરિચય) પૃ.૩,૮,૧૫,૨૦. ૧૦. એજન. (આમુખ).પૃ.૫.
૧
૨. ભદ્દબાહુ ણિજુત્તિ (નિર્યુક્તિ) પ્રકારની ટીકાઓના કર્તા. આ ભદ્દબાહુ ભદ્દબાહુ(૧)થી ભિન્ન છે એ વસ્તુ નીચેની બાબતો ઉપરથી પુરવાર થાય છે
(૧) દસાસુયમ્બંધ ઉપરની નિર્યુક્તિમાં તે સૌ પ્રથમ ભદબાહુ(૧)ને વંદન કરે છે
For Private & Personal Use Only
www.jainelibrary.org