________________
મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો (પદ્યસાહિત્ય) ૩૧
ફાળો નથી હોતો. પ્રેમાનંદનું ભ્રમરપચીસી', પ્રેમાનંદસ્વામીનું ‘તુલસીવિવાહ' એ શિથિલ બંધવાળી રચનાઓ છે. જ્યારે નરસિંહનું “સુદામાચરિત’ કે ‘શામળશાનો વિવાહ દ્રઢબંધવાળી રચનાઓ છે. આ બે સિવાય એક ત્રીજા પ્રકારની પદ પદમાળા છે જે મહિના તથા તિથિની પદમાળા છે. જેમાં પ્રત્યેક વિરહમાસનું, કે તિથિનું વર્ણન એકએક પદમાં કર્યું હોય છે અને પ્રત્યેક માસે કે તિથિએ વિયોગવ્યથા તીવ્રતર બનતી જાય છે, અને અંત તરફ આવતાં એ ભાવ પરાકાષ્ટાએ પહોંચે છે.
આ પદમાળાના સ્વરૂપને દુર્ગાશંકર શાસ્ત્રીએ ખંડકાવ્યની સંજ્ઞા આપી છે, ૧૦ જ્યારે કે. હ. ધ્રુવે એને આખ્યાનની સંજ્ઞા આપી છે"1 પણ આ સ્વરૂપ ખંડકાવ્ય તેમ જ આખ્યાનથી તદ્દન ભિન્ન છે. જો કે ખંડકાવ્યની જેમ આરંભમાં, મુખ્ય પ્રસંગને અનુરૂપ ભૂમિકા, ભાવવૈવિધ્ય, ભાવાનુરૂપ છંદપરિવર્તન, આલેખાયેલા પ્રસંગોનું એક મુખ્ય પ્રસંગ તરફ ઢળણ, એવાં કેટલાંક તત્ત્વો ખંડકાવ્ય અને પદમાળામાં સમાન હોવા છતાં એ ખંડકાવ્ય નથી. આખ્યાન તથા પદમાળામાં કથાતત્ત્વ, ધાર્મિક ઉદ્દેશ, રસવૈવિધ્ય, મંગળાચરણ અને ફળશ્રુતિ એટલાં તત્ત્વો સમાન હોવા છતાં એ આખ્યાન પણ નથી.
પદમાળાનો આરંભ ઇષ્ટદેવના સ્તવન કે મંગળાચરણથી થતો. ખંડકાવ્યમાં જેમ પ્રસંગ કે ભાવ બદલાતાં છંદ બદલાય છે તેવી રીતે કેટલીક પદમાળામાં પ્રત્યેક પદના રાગો બદલાય છે. ખંડકાવ્યની જેમ જ ભાવવૈવિધ્ય, અને મુખ્ય ભાવ કે પ્રસંગ તરફ દોરી જતા બીજા પ્રસંગો પદમાળામાં હોય છે. વળી ખંડકાવ્યના કવિ ભાવાનુકૂળ વાતાવરણ સર્જવા પ્રકૃતિવર્ણનનો ઉદ્દીપનવિભાવ તરીકે ઉપયોગ કરતા, તેવો જ પ્રકૃતિનો ઉપયોગ બારમાસી”ની પદમાળામાં થયેલો હોય છે. તેમ છતાં ‘સુદામાચરિત' જેવી પદમાળાને ખંડકાવ્ય કહી શકાય નહીં, પરંતુ જો કડવાંને આખ્યાનનું આવશ્યક અંગ ન માનીએ તથા મંગળાચરણ, ઈષ્ટદેવસ્તુતિ વગેરેને અનાવશ્યક માનીએ અને પ્રકૃતિવર્ણનને બિનજરૂરી માનીએ તો કદાચ “સુદામાચરિત્ર જેવી કૃતિને આખ્યાનની નજીક મૂકી શકાય.
પદમાળાનો જીવન જોડેનો સંબંધ વિચારતાં ભક્તના જીવનને આલેખતી પદમાળામાં સમકાલીન જીવનનું યથાર્થ પ્રતિબિંબ ઝીલાયું હોય છે. નરસિંહવિષયક પદમાળાઓમાં નાગરજાતિની ઈર્ષા, સંકીર્ણ મનોદશા, અન્યની કફોડી સ્થિતિ જોઈને રાજી થવાની કુમતિ વગેરે પ્રતીતિકર રીતે દર્શાવાઈ છે. એક દષ્ટિએ જોઈએ તો
શામળશાનો વિવાહ તથા મોતીરામકૃત “નરસિંહના પિતાનું શ્રાદ્ધ' કાવ્યોમાં વાર્તાનું કેન્દ્ર નાગરી વાત છે. નરસિંહકૃત ‘હારમાળામાં વિવિધ સંપ્રદાયના લોકો વચ્ચે ના વૈમનસ્યનું ચિત્રણ છે. પ્રેમસખી પ્રેમાનંદ કૃત ‘તુલસીવિવાહમાં તત્કાલીન